વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
ગુજરાતના વડોદરાના મિસ્ત્રી પરિવાર 150 વર્ષથી વધુ સમયથી દુર્લભ 'રુદ્રવીણા' વારસાને જીવંત રાખી રહ્યો છે. રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પ્રતિષ્ઠિત 'સંગીત નાટક અકાદમી પુરસ્કાર' 2024-2025 માટે પસંદગી થઈ છે. કિશોરભાઈ છેલ્લા 50 વર્ષથી આ કળા માટે સમર્પિત છે, એક રુદ્રવીણા બનાવતા 3 વર્ષ લાગે છે. ચંદ્રભાગા નદીના તુંબડા, પેસિફિક બામ્બુ અને કાળા સીસમનો ઉપયોગ થાય છે. તેમની વીણા ન્યૂયોર્ક અને ફ્રાન્સના મ્યુઝિયમમાં શોભી રહી છે. આ પરિવારની સફર 153 વર્ષ પહેલાં ગુરુની તૂટેલી વીણાના સમારકામથી શરૂ થઈ હતી. યુવા પેઢીમાં પણ આ કળા પ્રત્યે રસ વધી રહ્યો છે.
વડોદરાના કિશોરભાઈ મિસ્ત્રીને 'રુદ્રવીણા'ના સર્જન બદલ રાષ્ટ્રીય એવોર્ડ!
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે 26 પીડિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે કોઈ કાનૂની નોટિસ કે પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા, પોલીસ અને ટોરેન્ટ પાવરની ભૂમિકાને લઈને કડક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો પાલિકાએ કાર્યવાહી નહોતી કરી તો તેના અધિકારીઓ સ્થળ પર કેમ હાજર હતા. SOGના DCPને પણ આગામી સુનાવણીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કેસની વધુ સુનાવણી હવે સોમવારે થશે.
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામ નજીક શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ ગતિએ આવતા બુલેટચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૧ વર્ષીય રોશની ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અંકિતા, રીના અને જાનવી નામની અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારનો આરોપ છે કે બુલેટચાલક દારૂના નશામાં ધૂત હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. આ નિમણૂકો 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવી IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
રાજકુમાર હિરાણીએ સંજય દત્ત અને અરશદ વારસીની જોડી માટે કર્યું મોટું એલાન
લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે 'મુન્નાભાઈ MBBS-3' હવે બનશે. ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. સંજય દત્ત અને અરશદ વારસીની સુપરહિટ મુન્ના-સર્કિટની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર છે, પરંતુ તેની ગુણવત્તા જાળવી રાખવા માટે હિરાણી કોઈ ઉતાવળ કરવા માંગતા નથી. તેમણે જણાવ્યું કે, ફ્રેન્ચાઈઝીની વેલ્યુ જાળવી રાખવાનું દબાણ છે. અરશદ વારસીએ પણ કેટલીક સ્ક્રિપ્ટ વાંચી છે જે તેમને ગમી છે.
રાજકુમાર હિરાણીએ સંજય દત્ત અને અરશદ વારસીની જોડી માટે કર્યું મોટું એલાન
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને સ્થાનિક વાતાવરણીય દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસુ ટ્રફની સક્રિય અસરના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ જૂનથી શરૂ થતા આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ મોસમી સિસ્ટમ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી ચોમાસાને વેગ આપશે, જે ગરમીથી પરેશાન નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ ચોમાસુ વાવેતર કરતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક નીવડશે.
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ મગફળીના બિયારણની ફ્રી કીટ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ લાભ આપવાના નિર્ણય સામે અન્ય તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. ઓનલાઈન નોંધણી બાદ પણ લાભથી વંચિત રખાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ તાલુકાઓને સમાવવા માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
મિર્ઝાપુર ધ મૂવીનું ટીઝર રિલીઝ: 'સચિવજી'ની એન્ટ્રી
'મિર્ઝાપુર: ધ મૂવી'ની રાહ જોઈ રહેલા ચાહકો માટે ખુશખબર આવી છે. મેકર્સે ફિલ્મનું જોરદાર ટીઝર જાહેર કર્યું છે, જે દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યું છે. ઓટીટી પર લોકપ્રિય બનેલી આ ક્રાઈમ સાગા હવે મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, જિતેન્દ્ર કુમાર અને રવિ કિશન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 2018ની ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ 4 સપ્ટેમ્બર 2026ના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
મિર્ઝાપુર ધ મૂવીનું ટીઝર રિલીઝ: 'સચિવજી'ની એન્ટ્રી
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સુરક્ષા માટે આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની અવરજવર દરમિયાન કોઈ દુર્ઘટના ન બને. સાથે જ માર્ગ પરના દબાણો, લટકતા વાયર અને અન્ય જોખમો પણ દૂર કરાશે. જમાલપુર મંદિર ખાતે રથોના સમારકામ અને ધાર્મિક વિધિઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી 'આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર' હોસ્ટેલમાં 10 વર્ષની વિદ્યાર્થિની આયુષીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી માસૂમ બાળકી અછબડા અને તાવથી પીડાતી હોવા છતાં, હોસ્ટેલ પ્રશાસને તેના માતા-પિતાને અંધારામાં રાખ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ, પરંતુ તે પૂર્વે જ મૃત જાહેર કરાઈ. પરિવારે હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
ટીકાકાર મુકેશ ખન્ના અને સમય રૈના એક કોમર્શિયલ એડમાં સાથે દેખાયા
શક્તિમાન ફેમ મુકેશ ખન્ના અને સમય રૈના, જેઓ મહિનાઓથી જાહેરમાં એકબીજાની ટીકા કરતા હતા, હવે એક કોમર્શિયલ એડમાં સાથે દેખાયા છે. તેમની આ અણધારી ભાગીદારીથી નેટીઝન્સ અને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એપ્રિલ મહિનામાં, ખન્નાએ રૈનાને "કુત્તે કી દુમ" કહ્યા હતા, જ્યારે રૈનાએ શક્તિમાનના કન્ટેન્ટની મજાક ઉડાવી હતી. હવે બંનેને એકસાથે જોઈને ચાહકોને છેતરાયા હોવાની લાગણી થઈ રહી છે.
ટીકાકાર મુકેશ ખન્ના અને સમય રૈના એક કોમર્શિયલ એડમાં સાથે દેખાયા
શોલે ફિલ્મ ઇન કોન્સર્ટ તરીકે રોયલ આલ્બર્ટ હોલમાં પ્રદર્શિત થશે
રમેશ સિપ્પીની ક્લાસિક ફિલ્મ 'શોલે' લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ફિલ્મ ઇન કોન્સર્ટ તરીકે પ્રદર્શિત થશે. દસમી ઓક્ટોબરે, રોયલ ફિલહાર્મોનિક કોન્સર્ટ ઓર્કેસ્ટ્રા લાઇવ સંગીત વગાડશે. આ પ્રદર્શનમાં 'શોલે: ધ ફાઇનલ કટ' આવૃત્તિ દર્શાવાશે, જેમાં સેન્સર દ્વારા કાઢી નાખવામાં આવેલ મૂળ અંત ઉમેરવામાં આવ્યો છે. ફિલ્મ હિન્દીમાં પ્રદર્શિત થશે અને મોટી HD સ્ક્રીન પર ઇંગ્લીશ સબટાઇટલ્સ સાથે ઉપલબ્ધ રહેશે.
શોલે ફિલ્મ ઇન કોન્સર્ટ તરીકે રોયલ આલ્બર્ટ હોલમાં પ્રદર્શિત થશે
રજનીકાન્ત ટ્રોલર્સ પર ભડક્યા: બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!
સુપરસ્ટાર રજનીકાન્તે પોતાની ૧૭૩મી ફિલ્મ 'ધર્મન' લોન્ચ કરતાં ટ્રોલર્સ પર આકરા પ્રહાર કર્યા. ૭૫ વર્ષની ઉંમરે તેમણે કહ્યું કે જ્યારે મને બોલવા કહેવાય છે ત્યારે મારા શબ્દો મારા કે અન્યો માટે સમસ્યા બની જાય છે. જો હું બોલું નહીં તો પણ લોકો પ્રશ્નો પૂછે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકોનો મત ઘણીવાર લાગણી આધારિત હોય છે, અને કોઈના પણ દરેક પગલાંને દરેક વ્યક્તિ સ્વીકારશે તેવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે.
રજનીકાન્ત ટ્રોલર્સ પર ભડક્યા: બોલું તો પ્રોબ્લેમ, ચૂપ રહું તો પણ!
ફૂટબોલરો કરોડોનો પગ વીમો કેમ કરાવે છે?
ફૂટબોલમાં ગંભીર ઈજા ખેલાડીઓની કારકિર્દી માટે મોટો ખતરો હોવાથી લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જુનિયર જેવા સ્ટાર ખેલાડીઓ પોતાના પગ માટે કરોડો ડોલરનો ખાસ 'બોડી પાર્ટ ઇન્સ્યોરન્સ' કરાવે છે. આ કસ્ટમાઇઝ્ડ વીમો તેમને ભવિષ્યની આર્થિક સુરક્ષા આપીને નિર્ભયતાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરે છે. કમાણીની દ્રષ્ટિએ મેસ્સી 900 મિલિયન ડોલર સાથે સૌથી આગળ છે, જ્યારે ડેવિડ બેકહામ, ગેરેથ બેલ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર જુનિયર પણ મેદાન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી મોટી આવક મેળવે છે.
ફૂટબોલરો કરોડોનો પગ વીમો કેમ કરાવે છે?
નવી કાર ખરીદનારાઓ માટે PUC નિયમોમાં ફેરફાર!
નવી BS6 કાર ધરાવતા અથવા ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે મોટા સમાચાર છે. સરકાર 'PUCC 3.0' નામનો નવો નિયમ લાવી રહી છે, જેના હેઠળ નવી BS6 કાર માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ) ની વેલિડિટી ત્રણ વર્ષ સુધી વધારવામાં આવશે. આનાથી વાહન માલિકોને દર છ મહિને PUC કઢાવવાના ધક્કામાંથી મુક્તિ મળશે. 6 વર્ષથી જૂની BS6 કાર માટે દર વર્ષે PUC રિન્યુ કરવું પડશે, જ્યારે 10 વર્ષથી વધુ જૂની કાર માટે દર છ મહિને ટેસ્ટ કરાવવો પડશે. જૂના વાહનો માટે નિયમો વધુ કડક બનશે.
નવી કાર ખરીદનારાઓ માટે PUC નિયમોમાં ફેરફાર!
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
અમદાવાદ સાયબર ક્રાઈમ હેઠળ, એક રિયલ એસ્ટેટ એજન્ટ સાથે RBI (Reserve Bank of India)ની ખોટી ઝિપ ફાઈલ મોકલી વિશ્વાસઘાત થયો છે. ઠગે એજન્ટના ઓફિસ કમ્પ્યુટરને હેક કર્યું અને ત્યારબાદ બોસના નામે નકલી WhatsApp એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટ પાસે ₹1.5 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. આ ઘટનામાં, એક અજાણ્યા નંબર પરથી આવેલી ઝિપ ફાઈલ ખોલતા સિસ્ટમ હેક થઈ ગઈ, જેના પગલે આ મોટું આર્થિક નુકસાન થયું. આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે.
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આજે, 25મી જૂને, બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિત 11 મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થશે. આ સાથે, AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોની નિમણૂક પણ થશે. નવી કમિટીઓમાં જાતિ, વર્ગ અને ઝોન જેવા રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને સત્તાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાશે.
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલનમાં મહત્વના ફેરફારો કરાયા છે. હવે ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને પશ્ચિમ અમદાવાદના મુસાફરોની સુવિધા માટે આંબલી રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાણંદમાં પણ ટ્રેન રોકાશે, જેથી પ્રવાસીઓને કાલુપુર જવાની જરૂર નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી શકશે.
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૨૧,૦૦૦ કરોડનું ૨૯૮૮.૨૧ કિલો હેરોઇન જપ્ત થયું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન અને અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરતું હોવાનું NIAની ચાર્જશીટમાં જણાવાયું છે.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની. 5 વર્ષનો બાળક તેના દાદાની નજર સામે દૂધ લેવા જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ત્રાટકેલી સિંહણે તેને ઉપાડી લીધો. ગામલોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે બાળકનો મૃતદેહ મળ્યો. છેલ્લા મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે એક સિંહણને પાંજરે પૂર્યું છે અને અન્યને શોધવા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રે એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે.
અમરેલીમાં ફરી સિંહનો આતંક!
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે 25 જૂન માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી આપી છે. અનેક હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી 80થી 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વાવાઝોડાનું જોખમ વધ્યું છે. ખેડૂતોને પાકનું રક્ષણ કરવા અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ વીજળી દરમિયાન ખુલ્લા સ્થળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: માનવજાત માટે ક્રાંતિકારી બદલાવ લાવશે
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવજાતના ભવિષ્યને આકાર આપી રહ્યું છે. ફિલ્મોમાં દર્શાવાતી ડરામણી શક્યતાઓથી વિપરીત, AI કોરોના જેવી મહામારી સામે લડવા, દવાઓ શોધવા અને શિક્ષણ જેવી બાબતોમાં મદદ કરી રહ્યું છે. AI દ્વારા કાર્યક્ષમતા અને ચોકસાઈ વધે છે. ઓનલાઇન શોપિંગથી લઈને સ્માર્ટ હોમ સુધી, AI આપણા જીવનના દરેક પાસાને સ્પર્શી રહ્યું છે. ભવિષ્યમાં, AI માનવીની કલ્પના બહારના બદલાવ લાવી શકે છે, જે આપણી કામ કરવાની અને શીખવાની પદ્ધતિઓને સંપૂર્ણપણે બદલી નાખશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: માનવજાત માટે ક્રાંતિકારી બદલાવ લાવશે
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
અમદાવાદના રોહિત નામના યુવક, જે ક્રિકેટનો દિવાનો હતો, તેણે તાજેતરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તેની અંતિમયાત્રામાં 100 થી વધુ મિત્રો બેટ અને બોલ સાથે જોડાયા અને તેમણે કાયમ માટે ક્રિકેટ રમવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આ અનોખી અંતિમયાત્રાએ સૌને ભાવુક કરી દીધા. પરિવારજનોના જણાવ્યા મુજબ, રોહિતને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીઓ મળતી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ક્રિકેટ પ્રેમી યુવકની બેટ-બોલ સાથે અનોખી અંતિમયાત્રા
ગૌતમ અદાણીનો વસિયતનામા વિના વ્યવસાય સોંપણી માસ્ટરસ્ટ્રોક!
ગૌતમ અદાણીએ પારિવારિક વિવાદોને ટાળવા માટે એક ચતુરાઈભર્યો માર્ગ અપનાવ્યો છે. પોતાના 64મા જન્મદિવસ નિમિત્તે, એશિયાના સૌથી ધનિક વ્યક્તિએ વસિયતનામું બનાવ્યા વિના જ પોતાના બંને પુત્રો અને ભત્રીજાઓને અદાણી ગ્રુપના વિવિધ વ્યવસાયોનું સંચાલન સોંપ્યું છે. આ ચાર યુવા લીડર હાલમાં પોર્ટ્સ, એરપોર્ટ્સ, ગ્રીન એનર્જી, અને એન્ટરપ્રાઇઝિસના વિવિધ પ્રોજેક્ટ્સ જેવી મુખ્ય શાખાઓ સંભાળી રહ્યા છે. એક ગુપ્ત પારિવારિક કરાર દ્વારા, ભવિષ્યમાં ગ્રુપના સમાન માલિકી હક્ક સુનિશ્ચિત કરવામાં આવ્યા છે, જેનાથી શાંતિપૂર્ણ સત્તા હસ્તાંતરણ શક્ય બનશે.
ગૌતમ અદાણીનો વસિયતનામા વિના વ્યવસાય સોંપણી માસ્ટરસ્ટ્રોક!
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash(બિકેશ), UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
૯૧ વર્ષની ઉંમરે પતિના અવસાન બાદ પ્રભાવતીબેને 'નાનીસ નાસ્તા' નામનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો. દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠીને તેઓ દિલ્હીવાસીઓ માટે ઢોકળા, દાળ ઢોકળી, થેપલાં જેવી વાનગીઓ બનાવે છે. તેમની અદભૂત સફર જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ તેમના પ્રશંસક બન્યા છે. પ્રભાવતીબેન કમાણીના હેતુથી નહીં, પણ પ્રવૃત્તિમય રહેવા અને સમાજસેવા માટે આ વ્યવસાય કરે છે. તેમને 'યંગેસ્ટ શેફ ઇન ઇન્ડિયા'નો એવોર્ડ પણ મળ્યો છે.
ગુજરાતી 'નાનીના નાસ્તા'નો દિલ્હીવાસીઓને ચસકો લાગ્યો!
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
કવાંટ તાલુકાના નાખલ, મોગરા અને કરવી જેવા અંતરિયાળ ગામોમાં BSNL મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નેટવર્ક નબળું પડતાં, ખાસ કરીને કટોકટીની સ્થિતિમાં 108 જેવી ઈમરજન્સી સેવાઓનો સંપર્ક કરવો અશક્ય બન્યો છે. ગ્રામજનોએ BSNLના કનેક્શન લીધા છે, પરંતુ માત્ર 10માંથી 2 દિવસ જ નેટવર્ક ચાલુ રહે છે. અનેક ફરિયાદો છતાં કોઈ પગલાં ન લેવાતા, સરપંચો અને આગેવાનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે.
છોટાઉદેપુરના કવાંટના અંતરિયાળ ગામોમાં BSNL નેટવર્ક સમસ્યા
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
ડભોઇ તાલુકાના અંગુઠણ અને નારીયા ગામ વચ્ચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા નાળાની ઊંચાઈ વધારવામાં આવી હતી. જોકે, કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે નાળું તૈયાર થયા બાદ પણ વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. નાળાની બંને બાજુના એપ્રોચ રોડ પર માત્ર કપચી નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. ડામર રોડ ન બનવાને કારણે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. ખુલ્લી કપચી પર વાહનો સ્લિપ થઈ રહ્યા છે અને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે.
ડભોઇના અંગુઠણ-નારીયા વચ્ચે નવું નાળું તૈયાર, પણ એપ્રોચ રોડ અધૂરા
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાટણ શહેરમાં આગામી 25 અને 26 જુનના દિવસે યોજાનાર મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતીપૂર્ણ માહોલ સુનિશ્ચિત કરવા માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં અને તાજીયાના નિર્ધારિત રૂટોનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. પોલીસે મહોરમ મહોત્સવના સ્થાનિક આયોજકો સાથે ચર્ચા કરી હતી અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા સહિત જુલુસ દરમિયાન તકેદારી રાખવા સુચનો કર્યા હતા.
પાટણ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પાદરાના આચાર્ય જીગ્નેશ પંડયાને બેસ્ટ ઇન્ડિયન એચિવમેન્ટ ઍવૉર્ડ એનાયત
અમદાવાદમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફઉન્ડેશન અને શ્રી મહર્ષિ વેદવ્યાસ એકેડમીની 25મી સિલ્વર જ્યુબિલી નિમિત્તે આયોજિત પદવીદાન સમારોહમાં, પાદરા તાલુકાના સાદરા ગામના કેન્દ્ર અધ્યક્ષ આચાર્ય જીગ્નેશભાઈ રમેશભાઈ પંડયા (બાપજી)ને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને પુરોહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરાયા. તેમને બેસ્ટ જ્યોતિષી-અધ્યાપક, બેસ્ટ વાસ્તુશાસ્ત્રી-અધ્યાપક તથા બેસ્ટ પુરોહિત્ય (કર્મકાંડી)-અધ્યાપક તરીકે પસંદ કરાયા હતા. સિલ્વર મેડલ, ટ્રોફી અને બેસ્ટ ઈન્ડિયન એચીવમેન્ટ એવોર્ડ મળતાં સાદરા ગામ અને પાદરા તાલુકામાં ખુશીનો માહોલ છે.