ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
Published on: 25th June, 2026

ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. આ નિમણૂકો 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવી IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે.