અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
Published on: 25th June, 2026

અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સુરક્ષા માટે આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની અવરજવર દરમિયાન કોઈ દુર્ઘટના ન બને. સાથે જ માર્ગ પરના દબાણો, લટકતા વાયર અને અન્ય જોખમો પણ દૂર કરાશે. જમાલપુર મંદિર ખાતે રથોના સમારકામ અને ધાર્મિક વિધિઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.