બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ; જનજીવન અસ્તવ્યસ્ત.
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ; જનજીવન અસ્તવ્યસ્ત.
Published on: 14th July, 2025

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, પાલનપુર, વડગામ અને ડીસામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાયા, વાહનો ડૂબ્યા, ખેતરો બેટમાં ફેરવાયા, વીજળી પડવાથી પશુનું મોત થયું. અનેક ગામોમાં દિવાલો ધરાશાયી થઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી. ડીસાની સોસાયટીઓમાં પાણી ભરાતા નગરપાલિકાના પ્રી-મોન્સુન પ્લાનની પોલ ખુલી ગઈ. પાલનપુર-અમદાવાદ હાઇવે પર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરાયો.