સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના કરૂણ મોત
સાબરકાંઠાના વિજયનગર સ્થિત પોલો ફોરેસ્ટમાં રવિવારે હરણાવ નદીમાં નહાવા પડેલા ત્રણ યુવકો ડૂબી જવાની દુર્ઘટના બની છે. આ કરૂણ ઘટનામાં અરવલ્લી જિલ્લાના ટીંટોઈ ગામના બે યુવાનો, યશકુમાર વાઘેલા (ઉં.વ. 22) અને સાહિલ મોરી (ઉં.વ. 21) ના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. નદીમાં પાણી છોડવામાં આવતા પાણીનું સ્તર અચાનક વધ્યું હતું, જેની જાણ ન હોવાને કારણે આ યુવાનો નહાવા પડ્યા હતા. ફાયર બ્રિગેડ અને પોલીસે મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠાના પોલો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવાથી અરવલ્લીના બે યુવકોના કરૂણ મોત
ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ નેતાઓને મળી PM મોદીની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના નેતાઓને ભારતીય સંસ્કૃતિ, કલા અને પરંપરાની ઝલક આપતી અનોખી ભેટ આપી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને ઉત્તરાખંડની 'એપણ કલા'ની શિવ પેઇન્ટિંગ, આસામની દુર્લભ 'મનોહારી ગોલ્ડ ટી', કશ્મીરી 'પેપર-મેશી બાઉલ' અને ચાંદીની નક્કાશીદાર પ્લેટ મળી. ઇન્ડોનેશિયાના સંસદ અધ્યક્ષને ઓડિશાની 'ઈકત સિલ્ક' સાડી, ઓસ્ટ્રેલિયાના PMને 'પ્રીમિયમ કોફી બોક્સ', 'કોલોનિયલ કજન્સ'નું વિનાઈલ રેકોર્ડ અને 'ઢોકરા બોટ સ્કલપ્ચર' મળ્યા. ન્યૂઝીલેન્ડના PMને ઉત્તરાખંડી ટોપી અને ભારતીય મહિલા હોકી ટીમની સહીવાળી હોકી સ્ટિક ભેટમાં અપાઈ.
ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ નેતાઓને મળી PM મોદીની ભેટ
50ના બદલે 40 ઓવર, WTCમાં 9 નહીં 12 ટીમોનો પ્રસ્તાવ!
સ્કોટલેન્ડમાં યોજાયેલી ICC Annual Meeting 2026 માં ક્રિકેટના નિયમોમાં મોટા ફેરફારો પર ચર્ચા થઈ. વનડે ક્રિકેટને 50 ને બદલે 40 ઓવરનું કરવાની દરખાસ્ત હતી, પરંતુ સર્વસંમતિ ન થતાં હાલ 50 ઓવર જ રહેશે. World Test Championship (WTC) માં 9 ને બદલે 12 ટીમો સામેલ કરવાનો પ્રસ્તાવ પણ હતો, જેમાં અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડને સ્થાન મળવાનું હતું, પરંતુ તે પણ ફગાવી દેવાયો. USA અને કેનેડા ક્રિકેટ બોર્ડ પરનું સસ્પેન્શન યથાવત રહ્યું, જ્યારે મોરિશિયસ ICC નું 111મું એસોસિએટ સભ્ય બન્યું.
50ના બદલે 40 ઓવર, WTCમાં 9 નહીં 12 ટીમોનો પ્રસ્તાવ!
અમેરિકામાં રેકોર્ડબ્રેક ગરમીનું એલર્ટ
અમેરિકામાં ભીષણ હીટવેવના કારણે 4.4 કરોડ લોકો હવામાન વિભાગની ચેતવણીવાળા વિસ્તારોમાં છે. ઘણા રાજ્યોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની અને નવા રેકોર્ડ સર્જાવાની આશંકા છે. ભીષણ ગરમીના કારણે કોલોરાડો અને ઉટાહમાં જંગલની આગ ઓલવવાની કામગીરી પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને તડકાથી બચવાની સલાહ આપી છે. યુરોપમાં પણ ગરમીથી 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમેરિકામાં રેકોર્ડબ્રેક ગરમીનું એલર્ટ
TMC સાંસદ અભિષેક બેનર્જી સામે FIR
પશ્ચિમ બંગાળમાં એક હેલ્થ કેમ્પમાં કથિત મેડિકલ બેદરકારીને કારણે એક મહિલાને પગ ગુમાવવો પડ્યો છે. આ મામલે TMC સાંસદ અભિષેક બેનર્જી વિરૂદ્ધ FIR નોંધાઈ છે. તેમના 'સેવાશ્રય' પ્રોગ્રામના કેમ્પમાં સારવાર બાદ મહિલાની તબિયત લથડી હતી. મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે, દવા લીધા બાદ સ્થિતિ ગંભીર બની અને પછી પૈસા માંગવામાં આવ્યા. અંતે, ઘૂંટણની સર્જરી બાદ ઇન્ફેક્શન વધતાં પગ કાપવો પડ્યો. આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
TMC સાંસદ અભિષેક બેનર્જી સામે FIR
હોર્મુઝમાં ખતરો: અમેરિકા-ઈરાન સંઘર્ષમાં કતારે જહાજ માલિકોને એલર્ટ કર્યા
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે હોર્મુઝ ખાડી (Strait of Hormuz) પર સંકટ ઘેરાયું છે. મધ્યસ્થી કરનાર કતારે તમામ જહાજ માલિકોને તાત્કાલિક દરિયાઈ પ્રવૃત્તિઓ રોકવાની ચેતવણી આપી છે. બ્રિટનની UKMTO એ પણ હોર્મુઝ વિસ્તારમાં સુરક્ષાનું જોખમ 'Severe' સ્તર પર મૂક્યું છે. દક્ષિણ ઈરાનમાં અમેરિકી એરસ્ટ્રાઈક બાદ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવાયા છે. અમેરિકા આંતરરાષ્ટ્રીય જહાજો પરના હુમલાના જવાબનું કારણ દર્શાવે છે, જ્યારે ઈરાન પલટવારની ધમકી આપે છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટનો દક્ષિણી માર્ગ વેપાર માટે ખુલ્લો રખાયો છે.
હોર્મુઝમાં ખતરો: અમેરિકા-ઈરાન સંઘર્ષમાં કતારે જહાજ માલિકોને એલર્ટ કર્યા
ભારત સરકાર દ્વારા કતારના પૂર્વ અમીર શેખ હમદના સન્માનમાં રાષ્ટ્રીય શોક
કતારના પૂર્વ અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના નિધન પર ભારત સરકારે 13 જુલાઈના રોજ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દિવસે ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો અડધી કાઠીએ ઝૂકાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભારતના 'સાચા મિત્ર' ગણાવ્યા અને તેમના દુરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ શોક સંદેશ પહોંચાડવા કતાર જશે. વિશ્વભરના નેતાઓએ પણ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.
ભારત સરકાર દ્વારા કતારના પૂર્વ અમીર શેખ હમદના સન્માનમાં રાષ્ટ્રીય શોક
મહીસાગરના બાલાસિનોર GIDC ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપાયો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો પર્દાફાશ કરાયો છે. ગોડાઉનમાંથી અંદાજે 1.56 કરોડથી વધુ કિંમતનો દારૂ-બિયર, 3 વાહનો, 8 મોબાઈલ અને રોકડ સહિત કુલ 1.86 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ રેડ દરમિયાન 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત 16 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં Police તપાસ કરી રહી છે.
મહીસાગરના બાલાસિનોર GIDC ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુનો દારૂ ઝડપાયો
હિમાચલ પ્રદેશમાં અમરનાથ યાત્રા બસ પલટી
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ નેશનલ હાઈવે-44 પર પલટી ગઈ. આ દુર્ઘટનામાં 17 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા, જેમાં 4ની હાલત ગંભીર છે. કુલ 57 મુસાફરો સવાર હતા. મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. બસ કટરાથી દેહરાદૂન જઈ રહી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી. ડ્રાઈવર-કંડક્ટર ફરાર છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
હિમાચલ પ્રદેશમાં અમરનાથ યાત્રા બસ પલટી
અમદાવાદના ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત સર્કલ પાસે આવેલી એક હોટલમાં પ્રેમી યુગલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવાનું જણાય છે. બંને પંચમહાલ જિલ્લાના સંતરામપુરના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકો પાસેથી હાલ કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડાની હોટલમાં પ્રેમી યુગલે કર્યો આપઘાત
ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રહેશે અને કોણ જશે?
ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટા ફેરફારોની શક્યતા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળના અંત સાથે, BCCI સહાયક કોચ રયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના ભવિષ્ય અંગે ચર્ચા કરી રહ્યું છે. બોલિંગ કોચ મોર્કેલ અને સહાયક કોચ ડોશેટના કાર્યકાળથી BCCI સંતુષ્ટ છે. જોકે, ભારતીય ટીમના કથળતા ફિલ્ડિંગ સ્તરને કારણે ટી. દિલીપ પર સંકટના વાદળો ઘેરાયા છે, અને તેમની જગ્યાએ નવા અનુભવી ચહેરાને લાવવાની શક્યતા છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રહેશે અને કોણ જશે?
ભારતમાં કોરોનાનો ફરી કહેર: આંધ્રપ્રદેશમાં 2 મોત બાદ 8 એક્ટિવ કેસ, એલર્ટ
આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં કોવિડ-19 ના કેસ ફરી સામે આવ્યા છે. અહીં બે દર્દીઓના મોત થયા બાદ સ્વાસ્થ્ય વિભાગે એલર્ટ થઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજમપેટના એક 52 વર્ષીય અને કડપ્પા શહેરના 43 વર્ષીય વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સિવાય કડપ્પા મેડિકલ કોલેજના એક 25 વર્ષના વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં 'રેપિડ રિસ્પોન્સ ટીમો' તૈનાત કરાઈ છે. હાલ જિલ્લામાં કોરોનાના 8 એક્ટિવ કેસ છે. ભીડભાડવાળી જગ્યાઓ પર માસ્ક ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતમાં કોરોનાનો ફરી કહેર: આંધ્રપ્રદેશમાં 2 મોત બાદ 8 એક્ટિવ કેસ, એલર્ટ
બ્લેક સીમાં યુક્રેનના બંદરગાહ પર રશિયાનો મોટો ડ્રોન હુમલો: કાર્ગો જહાજમાં ભીષણ આગ
Russia-Ukraine War ના પગલે બ્લેક સીમાં તણાવ વધ્યો છે. રશિયાએ પોતાના અત્યાધુનિક 'ગેરાન-4' ડ્રોન વડે યુક્રેનના ઓડેસા સ્થિત ચોર્નોમોર્સ્ક બંદરગાહ પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એક કાર્ગો જહાજ અને માછીમારી બોટને નુકસાન થયું છે અને ભયાનક આગ લાગી ગઈ છે. રશિયાનો દાવો છે કે ફિશિંગ બોટનો ઉપયોગ ડ્રોન બોટ લોન્ચ કરવા માટે થતો હતો. યુક્રેન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગી રહ્યું છે. ગેરાન-4 ડ્રોન અત્યંત ઘાતક છે. આ હુમલાઓ વૈશ્વિક વેપાર અને અર્થવ્યવસ્થા પર પણ અસર કરી રહ્યા છે.
બ્લેક સીમાં યુક્રેનના બંદરગાહ પર રશિયાનો મોટો ડ્રોન હુમલો: કાર્ગો જહાજમાં ભીષણ આગ
વડોદરાની માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને બનાવ્યા ઉમેદવાર
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ભાજપે સતીષ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે, જેઓ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યાં છે. બીજી તરફ, કોંગ્રેસે પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીની 145-માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. આ બેઠક પર કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, 14મી જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 16મી જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે.
વડોદરાની માંજલપુર પેટાચૂંટણી માટે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને બનાવ્યા ઉમેદવાર
અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં 21 વર્ષીય ઝરણા પંચાલ, છેલ્લા 4 વર્ષથી ઇકો-ફ્રેન્ડલી કલર્સનો ઉપયોગ કરીને ગજરાજો પર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ખાસ થીમ આધારિત આકર્ષક પેઇન્ટિંગ કરીને ભક્તિના રંગ પૂરી રહી છે. ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરનાર ઝરણા, હાથીઓની સૂંઢ, કાન અને આંખ જેવા ભાગો પર આઉટલાઇન આપી ભગવાનની થીમ્સ દોરે છે. આ ઉપરાંત, તે એક મહિના અગાઉથી ભગવાન માટે હેન્ડમેડ હારમાળા બનાવે છે અને મંદિરમાં રંગોળી દ્વારા પણ સેવા આપે છે.
અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
જંતર-મંતર પર વિવાદ : CJPના અભિજીત દીપકે દિલજીત દોસાંઝ પર કર્યો કટાક્ષ
સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન અંગેની ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. CJPના ફાઉન્ડર અભિજીત દીપકેએ એક વીડિયોમાં દોસાંઝ પર કટાક્ષ કર્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સિંગર રવિન્દર સિંહ, જે 'કાકા' તરીકે પણ જાણીતા છે, તે આ મુદ્દાના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા. દીપકેએ દોસાંઝની ટિપ્પણી "હું એક આર્ટિસ્ટ છું" નો ઉલ્લેખ કરીને 'કાકા' તરફ ઈશારો કરતા કહ્યું કે 'આ પણ એક આર્ટિસ્ટ છે, ભાઈ'. દોસાંજે કહ્યું હતું કે તેઓ આ વિવાદોથી દૂર રહેવા માંગે છે.
જંતર-મંતર પર વિવાદ : CJPના અભિજીત દીપકે દિલજીત દોસાંઝ પર કર્યો કટાક્ષ
જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા, અમદાવાદના સરસપુર સ્થિત તેજસ દવે પરિવારને ભગવાનનું 'મામેરું' કરવાનો અદભુત અવસર મળ્યો છે. 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, મંદિરની ડ્રો પદ્ધતિ દ્વારા દવે પરિવારની પસંદગી થઈ છે. વૃંદાવનથી ખાસ વાઘા અને માણેકચોકથી અલંકારો તૈયાર કરાયા છે. આ પવિત્ર પ્રસંગે દવે પરિવારના ઘરે ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં જાહેર રોડ પર જ રિક્ષામાં દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ બાબતે વીડિયો વાઈરલ થતાં સ્થાનિક પોલીસને જાણ થઈ છે. લિબર્ટી સર્કલ નજીક ઝાડ નીચે ઉભેલી રિક્ષામાં અંગ્રેજી અને દેશી દારૂનું પોલીસના ડર વગર વેચાણ થઈ રહ્યું છે. આ સ્થળની આસપાસ ગર્લ્સ હોસ્ટેલ અને પોલીસ સ્ટેશન પણ નજીકમાં જ છે. વાઈરલ વીડિયો અંગે નવરંગપુરા PIએ તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
ગીરમાં સિંહ પજવણી કરનારા 8 લોકોની વન વિભાગ દ્વારા વેરાવળ-પ્રભાસ પાટણમાંથી અટકાયત.
સૌરાષ્ટ્રમાં સિંહ પજવણીના વીડિયો વાઈરલ થતાં વન વિભાગ સક્રિય થયું છે. ગીર (પૂર્વ) વન વિભાગની જસાધાર રેન્જની ટીમે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોના આધારે વેરાવળ અને પ્રભાસ પાટણના 8 લોકોને અટકાયતમાં લીધા છે. આ લોકો પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરીને સિંહોને હેરાન કરતા વીડિયો બનાવતા હતા અને પ્રસિદ્ધિ માટે વાઈરલ કરતા હતા. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે લોકોને વન્યજીવોને હેરાન ન કરવા અને આવી ઘટનાઓ વિશે જાણ કરવા અપીલ કરી છે.
ગીરમાં સિંહ પજવણી કરનારા 8 લોકોની વન વિભાગ દ્વારા વેરાવળ-પ્રભાસ પાટણમાંથી અટકાયત.
ઈરાનના 'કિલ લિસ્ટ'માં જ્યોર્જિયા મેલોની, ડોનાલ્ડ ટ્રમ્પ બીજા નંબરે!
ઈરાને દુનિયાના મોટા નેતાઓનું હિટ લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં પ્રથમ નંબર પર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ આ યાદીમાં સામેલ છે. ઈરાનના સરકારી અખબાર 'હમશહરી' એ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સહિત 13 નેતાઓની તસવીરો કેદીના પોશાકમાં દર્શાવી છે. અખબારમાં "બદલો નક્કી છે" એવી ચેતવણી આપવામાં આવી છે.
ઈરાનના 'કિલ લિસ્ટ'માં જ્યોર્જિયા મેલોની, ડોનાલ્ડ ટ્રમ્પ બીજા નંબરે!
થરાદમાં પતિની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પત્ની જ નીકળી!
થરાદના ગણેશપુરા ગામે થયેલી ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મૃતકની પત્ની નર્મદાબેન નીકળી. પ્રેમ સંબંધમાં પતિ આડખીલી બનતા, પત્નીએ પોતાના પ્રેમી પ્રેમજી અને મુકેશ ઠાકોર સાથે મળી કાવતરું ઘડ્યું. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે મૃતકની સગી દીકરીઓએ પોલીસ સમક્ષ પોતાની માતાનો ભાંડો ફોડ્યો. દીકરીઓની જુબાનીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
થરાદમાં પતિની ક્રૂર હત્યાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ પત્ની જ નીકળી!
અમદાવાદની 149મી રથયાત્રા: 10 ડ્રોનથી બાજ નજર
અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી ભગવાન જગન્નાથજી રથયાત્રામાં સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવાશે. આ વખતે 10 ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવશે. દરેક ટ્રકમાં પોલીસ ડ્રાઈવર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્પેશિયલ રિપેરિંગ વ્હીકલ ટીમ તૈનાત રહેશે. આયોજકો, સંચાલકો, ટ્રક માલિકો અને ડ્રાઈવરોનું આધાર એપ દ્વારા ફરજિયાત વેરિફિકેશન કરાશે. ટ્રકોનું RTO દ્વારા યાંત્રિક ચકાસણી અને BDDS દ્વારા એન્ટી-સબોટેજ ચેકિંગ પણ થશે. ડ્રાઈવરોના મેડિકલ ચેકઅપ પણ ફરજિયાત છે.
અમદાવાદની 149મી રથયાત્રા: 10 ડ્રોનથી બાજ નજર
ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં રેકોર્ડ તોડ્યો
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક તેલ સંકટ વચ્ચે, ભારતે પોતાની આયાતમાં વિવિધતા લાવી છે. જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી, જે મે મહિનાની સરખામણીમાં 34% નો વધારો દર્શાવે છે. ભારત ચીન પછી રશિયન બળતણનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યો છે. આયાત વધી છે. રિફાઇનરીઓને મળેલા રશિયન સપ્લાયમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભારત રશિયન ક્રૂડ ઓઇલમાંથી તૈયાર થતા ઇંધણની નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારતે રશિયા પાસેથી તેલની આયાતમાં રેકોર્ડ તોડ્યો
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ચોરી!
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ₹1.04 લાખની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આઉટસોર્સિંગ કર્મચારી ચિરાગ ઠાકોરે CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે તેમ, નોટોના બંડલને પગ નીચે સંતાડીને પોતાના પેન્ટમાં છુપાવ્યા હતા. આ ઘટના અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીની યાદ અપાવે છે. આરોપીની ધરપકડ બાદ જામીન પર મુક્ત થતાં ભક્તોમાં ભારે રોષ છે. એપ્રિલ અને મે મહિનામાં લાંબા સમયથી આ ચોરી ચાલતી હોવાની આશંકા છે, અને ઊંડી તપાસની માંગ કરવામાં આવી રહી છે.
સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ચોરી!
કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે!
કેસર બજારમાં ખૂબ જ ઊંચા ભાવે વેચાય છે, તેથી ઘણા ખેડૂતો આ ખેતીમાં રસ ધરાવે છે. સામાન્ય રીતે કાશ્મીરમાં ઉગાડાતું કેસર હવે આધુનિક ટેકનિકો દ્વારા તમારા ખેતરમાં પણ શક્ય છે. શેડ નેટ હાઉસ જેવી પદ્ધતિઓ કાશ્મીર જેવું અનુકૂળ તાપમાન અને વાતાવરણ બનાવી શકે છે. પોતાના ખેતરમાં કેસર ઉગાડીને ખેડૂતો લાખોનો નફો કમાઈ શકે છે. આ માટે કાશ્મીરી કેસરના કોર્મ્સ (Corms) ની જરૂર પડે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વાવેલા આ બલ્બ્સ ઓક્ટોબર-ડિસેમ્બરમાં ફૂલો આપે છે, જેમાંથી લાલ તાંતણા નીકળે છે. આ પાકને ઓછા પાણી અને ખાતરની જરૂર પડે છે.
કાશ્મીર જ નહીં તમારા ખેતરમાં પણ થઈ શકે છે!
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલની મદદથી કેરળનો શખ્સ તેલંગાણા પહોંચ્યો
30 વર્ષ પહેલાં ગલ્ફમાં મિત્ર પાસેથી લીધેલા થોડા પૈસા પરત કરવા માટે કેરળના એક શખ્સે તેલંગાણાના જગતિયાલ જિલ્લા સુધી 1200 કિલોમીટરથી વધુની મુસાફરી કરી. મોબાઇલ કે સરનામાં વગર, તેમણે ગૂગલ મેપ્સ અને AIની મદદથી મિત્રનું ગામ શોધી કાઢ્યું. મિત્ર હાલ ગલ્ફમાં હોવાથી, તેમણે તેમના પરિવારને 25,000 રૂપિયા ચૂકવીને 30 વર્ષ જૂના દેવું ઉતાર્યું. આ પ્રામાણિકતાની ઘટના સૌને પ્રેરણા આપી રહી છે.
30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલની મદદથી કેરળનો શખ્સ તેલંગાણા પહોંચ્યો
BCCIએ ઇંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં કર્યા બે મોટા ફેરફાર
ઇંગ્લેન્ડ સામેની વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ પહેલાં ભારતીય ટીમ માટે ચિંતાજનક સમાચાર છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઇન્જરીના કારણે સિરીઝમાંથી બહાર થયા છે. BCCI એ તેમના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં હર્ષિત રાણાના સ્થાને પ્રિન્સ યાદવનો સમાવેશ કરાયો છે. જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વરુણ ચક્રવર્તીની જગ્યાએ રવિ બિશ્નોઈને તક મળી છે. બંને ખેલાડીઓ બેંગલુરુ સ્થિત COE માં સારવાર માટે જશે.
BCCIએ ઇંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં કર્યા બે મોટા ફેરફાર
ભારતે જૂન 2026માં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું
ભારતે જૂન 2026માં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે મે મહિના કરતાં 34% વધુ છે. 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA) ના અહેવાલ મુજબ, ભારતે 4.5 અબજ યુરોનું ક્રૂડ ઓઇલ ખરીદ્યું, જે રશિયાની કુલ ઇંધણ આયાતના 83% છે. આ ખરીદી સાથે ભારત, ચીન પછી રશિયા પાસેથી હાઇડ્રોકાર્બન ખરીદનારો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ભારતીય રિફાઇનરીઓમાં રશિયન તેલનો સપ્લાય નોંધપાત્ર રીતે વધ્યો છે.
ભારતે જૂન 2026માં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું
ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું દુ:ખદ અવસાન થયું. આ ઘટના બાદ મહેમદાવાદના મોદજ ગામમાં 11 વર્ષના માસૂમની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. ગીરનારની યાત્રાએ ગયેલા પરિવાર પર આ ઘટના બની હતી, જેમાં અચાનક સિંહે બાળકાને જંગલ તરફ ખેંચી લીધો હતો. શોધખોળ બાદ બાળકના કપડાં અને અવશેષો મળ્યા હતા. આ ઘટના બાદ ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
હોર્મુઝમાં જહાજ પર હુમલો; અમેરિકા-ઈરાન વચ્ચે વધ્યો તણાવ
પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની આગામી સૂચના સુધી બંધ જાહેર કરી. અમેરિકાએ ઈરાન પર સાયપ્રસના ધ્વજવાળા કોમર્શિયલ જહાજ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ઈરાનનો દાવો છે કે જહાજે નિયમો તોડીને માર્ગ બદલ્યો હતો. આ સંઘર્ષને કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને બજાર પર અસર થવાની આશંકા છે.
હોર્મુઝમાં જહાજ પર હુમલો; અમેરિકા-ઈરાન વચ્ચે વધ્યો તણાવ
5 રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ, મધ્ય-પશ્ચિમ રાજ્યોમાં જળાશયો ખાલી
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 5 રાજ્યોમાં આગામી 3 દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. આ દરમિયાન, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં જળાશયો ખાલી થઈ રહ્યા છે. પૂર્વીય ભારતમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ પશ્ચિમી, ઉત્તરીય અને મધ્ય ભાગો સૂકાઈ રહ્યા છે, જેના કારણે ડાંગર, મકાઈ અને કઠોળ જેવા પાકો પર અસર થઈ રહી છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉભરી રહેલી સિસ્ટમ 18 થી 25 જુલાઈ વચ્ચે ચોમાસાને ફરી જીવંત કરી શકે છે.