Menu
ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામમાં નદી બે કાંઠે: કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ, બાળકોને ટ્રેક્ટર દ્વારા ઘરે પહોંચાડાયા
ધ્રાંગધ્રાના કલ્યાણપુર ગામમાં નદી બે કાંઠે: કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ, બાળકોને ટ્રેક્ટર દ્વારા ઘરે પહોંચાડાયા
Published on: 25th June, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ગામમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના પાણી કોઝવે પર ફરી વળતા વિસ્તારમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. કલ્યાણપુર અને આસપાસના ગામોને જોડતું એકમાત્ર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શાળાએ ગયેલા બાળકોની સુરક્ષા માટે સ્થાનિક વહીવટી તંત્રએ ટ્રેક્ટરની મદદથી તમામ બાળકોને સલામત રીતે કોઝવે પાર કરાવીને ઘરે પહોંચાડ્યા. આ ઘટનાએ ચોમાસાની કટોકટીમાં વહીવટી તંત્રની વધુ સજ્જતા અને ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થાની આવશ્યકતા દર્શાવી છે.