રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ
રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ
Published on: 29th June, 2026

અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરી કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે અને SBI, કેનરા બેંક, બેંક ઓફ બરોડા સહિત 6થી 7 બેંકોને નોટિસ પાઠવી છે. ટ્રસ્ટના ખાતા, લોકર અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે. દાનની રકમની હેરફેરનો માર્ગ શોધવા તપાસ ચાલી રહી છે. SBIના બે કર્મચારીઓ સહિત કેશ હેન્ડલિંગ સાથે જોડાયેલા સ્ટાફની પૂછપરછ શરૂ થઈ છે. પોલીસે CCTV ફૂટેજ અને બેંક દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરી છે.