જામનગરના ધ્રોલ ભૂચરમોરી મેદાનમાં શહીદોને શ્રદ્ધાંજલિ
જામનગરના ધ્રોલ ભૂચરમોરી મેદાનમાં શહીદોને શ્રદ્ધાંજલિ
Published on: 02nd September, 2026

જામનગરના ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાનમાં 35મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ 3 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં ભૂચરમોરીના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સવારે 8 વાગ્યે અશ્વ સ્પર્ધાથી શરૂઆત થશે, જેમાં આશરે 50 અશ્વ અને 40 સ્પર્ધકો ભાગ લેશે. ત્યારબાદ તલવારબાજીની સ્પર્ધા યોજાશે, જેમાં દીકરીઓ અને દીકરાઓ સહિત 60 સ્પર્ધકો ભાગ લેશે. ઇતિહાસ કસોટી અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. સમારોહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.