જામનગર શ્રાવણી લોકમેળામાં કરોડોનું વીમા કવચ
જામનગર શ્રાવણી લોકમેળામાં કરોડોનું વીમા કવચ
Published on: 02nd September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા 1 થી 11 સપ્ટેમ્બર સુધી યોજાનાર શ્રાવણી લોકમેળામાં સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. મહાનગર પાલિકાએ પબ્લિક લાયબીટી હેઠળ પાંચ કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે. મેળામાં લગાવેલી 13 મોટી રાઈડના સંચાલકો દ્વારા 11 કરોડ રૂપિયાનો વીમો લેવાયો છે. બાળકોની નાની રાઈડ માટે 50-50 લાખના બે વીમા અને સ્ટોલ ધારકો દ્વારા એક કરોડનો વીમો લેવાયો છે. આ વીમા સુરક્ષા આકસ્મિક ઘટનાઓ અને જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરશે.