છોટા ઉદેપુરના નસવાડી પશુપતિનાથ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનું મહેરામણ
છોટા ઉદેપુરના નસવાડી પશુપતિનાથ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તોનું મહેરામણ
Published on: 17th August, 2026

પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે નસવાડી સ્થિત પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનો ભારે ઉત્સાહ અને અદભુત ભક્તિમાહોલ જોવા મળ્યો. શ્રાવણના પ્રારંભ સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા. ભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક, ધૂપ-દીપ અને બિલ્વપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી. ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે મંદિર પરિસર શિવમય બની ગયું હતું. ભક્તોએ પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. દર્શન માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.