હિંમતનગરના હુંજ ગામમાં મહાદેવ મંદિરનો રસ્તો અધુરો, રહીશોને ભારે હાલાકી
હિંમતનગરના હુંજ ગામમાં મહાદેવ મંદિરનો રસ્તો અધુરો, રહીશોને ભારે હાલાકી
Published on: 07th August, 2026

હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં દરબાર વસાહતના રહીશો મહાદેવ મંદિર સુધીના CC રોડની સુવિધાથી વંચિત છે. સરકારી યોજના હેઠળ ગામમાં અનેક રસ્તા બન્યા હોવા છતાં, દરબાર વસાહતના છેવાડાના વિસ્તારોમાં કામ અધૂરું છોડી દેવાયું છે. હાલમાં બનેલો રસ્તો પણ નબળી ગુણવત્તાને કારણે ચોમાસામાં ઉબડખાબડ થઈ ગયો છે, જેના કારણે રહીશોને રોજિંદા અવરજવર માટે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ઝાડીઝાંખરા પણ ઉગી નીકળ્યા છે, જેથી રસ્તો દેખાતો નથી. આ અંગે રહીશોએ સ્થાનિક પંચાયતમાં રજૂઆત કરી છે.