જૂના મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
જૂના મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
Published on: 06th August, 2026

જામનગર શહેરના રંગમતી પાર્ક શેરી નં. 2માં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. નજીકમાં રહેતા નિવૃત્ત ફાયર કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ફાયર જવાનોની સતર્કતા અને બચાવ કામગીરીને કારણે ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.