BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષે વતન પરત.
BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષે વતન પરત.
Published on: 07th May, 2026

સુરેન્દ્રનગરના કટુડા ગામના વતની અને BSF જવાન ઘનશ્યામસિંહ ઝાલા 22 વર્ષની ફરજ પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. વતન પરત ફરતા તેમનું કટુડા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે 22 વર્ષની ફરજ દરમિયાન કાશ્મીર અને નાગાલેન્ડ સહિત દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સેવા આપી હતી. ફરજ પૂર્ણ કરી વતન આવેલા જવાનનું પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.