હિંમતનગર મોરાલીમાં UGVCL ની બેદરકારી, મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવાય છે.
હિંમતનગર મોરાલીમાં UGVCL ની બેદરકારી, મેન્ટેનન્સના નામે માત્ર કાગળ પર જ કામગીરી દર્શાવાય છે.
Published on: 01st April, 2026

મોરાલીના રહીશોએ UGVCL પર પ્રી-મોન્સૂન મેન્ટેનન્સના નામે બેદરકારીના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે જાળવણીના નામે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી થતી નથી. ટ્રાન્સફોર્મર પાસે ઝાડ-ઝાંખરા અને કચરો અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. કાગળ પર મેન્ટેનન્સ બતાવવાને બદલે સ્થળ પર આવીને ઝાડીઓ દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી છે, અને ઘટના ઘટશે તો જવાબદારી વીજ કંપનીની રહેશે તેમ જણાવ્યું છે.