સોમનાથના ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ
સોમનાથના ત્રિવેણી સંગમ પર યુદ્ધના ધોરણે મુકાયા 10 ચેન્જિંગ રૂમ
Published on: 03rd September, 2026

સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલા યાત્રિકો માટે સુરક્ષિત ચેન્જિંગ રૂમની ગંભીર અછત હતી, જેના કારણે તેમને કપડાં બદલવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી. 'સંદેશ ન્યૂઝ' દ્વારા આ જનહિતના મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવતાં, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ ત્વરિત પગલાં ભર્યા. અહેવાલની અસર બાદ, સોમનાથ ટ્રસ્ટે યુદ્ધના ધોરણે કામગીરી કરીને ત્રિવેણી સંગમ પર તાત્કાલિક 10 નવા ચેન્જિંગ રૂમ સ્થાપિત કર્યા છે. આ સુવિધાથી હવે મહિલા યાત્રિકોને સુરક્ષિત અને ગોપનીય વાતાવરણ મળશે, જેના કારણે તેઓએ રાહતનો શ્વાસ લીધો છે.