
પૂર જેવી સ્થિતિ સર્જાઈ: કાવીઠા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ, 30થી વધારે ઘરોમાં પાણી
Published on: 25th June, 2025
સંખેડા તાલુકામાં વરસેલા ભારે શ્રીકાર વરસાદના કારણે કાવીઠા ગામ સંપૂર્ણ રીતે જળબંબાકાર બન્યું હતું. નવીનગરીના લગભગ 30 ઘરોમાં પાણી ભરાયા હતા અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી થઈ હતી. ઘરોમાં ભરાયેલા પાણીના કારણે અનાજ અને ઘરવખરીની વસ્તુઓ બગડી ગઇ હતી. ગામમાં છેલ્લાં 50 વર્ષમાં આવી પરિસ્થિતિ જોવા મળી ન હતી. વરસાદના કારણે કોતરોમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા અને રસ્તાઓ પાણીના વહેણથી અવરજવર માટે બંધ થઈ ગયા હતા. સંખેડા એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈએ તાત્કાલિક રાત્રિના જમવાની વ્યવસ્થાઓ કરી હતી.
પૂર જેવી સ્થિતિ સર્જાઈ: કાવીઠા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ, 30થી વધારે ઘરોમાં પાણી

સંખેડા તાલુકામાં વરસેલા ભારે શ્રીકાર વરસાદના કારણે કાવીઠા ગામ સંપૂર્ણ રીતે જળબંબાકાર બન્યું હતું. નવીનગરીના લગભગ 30 ઘરોમાં પાણી ભરાયા હતા અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી થઈ હતી. ઘરોમાં ભરાયેલા પાણીના કારણે અનાજ અને ઘરવખરીની વસ્તુઓ બગડી ગઇ હતી. ગામમાં છેલ્લાં 50 વર્ષમાં આવી પરિસ્થિતિ જોવા મળી ન હતી. વરસાદના કારણે કોતરોમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા અને રસ્તાઓ પાણીના વહેણથી અવરજવર માટે બંધ થઈ ગયા હતા. સંખેડા એપીએમસીના વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈએ તાત્કાલિક રાત્રિના જમવાની વ્યવસ્થાઓ કરી હતી.
Published at: June 25, 2025
Read More at દિવ્ય ભાસ્કર