
કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી, 4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા
Published on: 21st June, 2025
ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. 698 મતદાન મથકોમાં 776 મતપેટી મૂકી છે જ્યાં સવારના 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન થશે. આગામી રવિવારે 233 ગામોમાં મતદાન થાશે અને આ ચૂંટણીમાં 4.90 લાખથી વધુ મતદારો ભાગ લેશે. પ્રચાર શાંત અને સમાધાનપુર્ણ છે. મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય, ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખશે.
કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી, 4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. 698 મતદાન મથકોમાં 776 મતપેટી મૂકી છે જ્યાં સવારના 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન થશે. આગામી રવિવારે 233 ગામોમાં મતદાન થાશે અને આ ચૂંટણીમાં 4.90 લાખથી વધુ મતદારો ભાગ લેશે. પ્રચાર શાંત અને સમાધાનપુર્ણ છે. મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય, ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખશે.
Published at: June 21, 2025
Read More at ગુજરાત સમાચાર