દાહોદમાં વિશ્વ આદિવાસી દિન રેલીમાં પથ્થરમારો
દાહોદમાં વિશ્વ આદિવાસી દિન રેલીમાં પથ્થરમારો
Published on: 10th August, 2026

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી રેલીમાં અચાનક તણાવ સર્જાયો હતો. ગોધરા રોડ પર ડીજે સિસ્ટમ લઈ જવા અંગેના વિવાદ બાદ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પરિણામે પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. આ ઘર્ષણમાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી અને સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસે 5થી 7 ઉપદ્રવી તત્ત્વોની ઓળખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.