72 કરોડના ખર્ચે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર
72 કરોડના ખર્ચે વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર
Published on: 17th July, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત પ્રતાપનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. 72 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવેલું આ સ્ટેશન વડોદરાના રેલવે માળખાકીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસિત પ્રતાપનગર ભવિષ્યમાં લાંબા અંતરની ટ્રેનોનું સંચાલન કરીને વડોદરા જંક્શન પરનું ભારણ ઘટાડવામાં મદદરૂપ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓને પણ વધુ સારી કનેક્ટિવિટી મળશે. આ યોજના હેઠળ દેશભરમાં 75 સ્ટેશનો પુનઃ વિકસાવવામાં આવ્યા છે.