ચાંદખેડામાં ચૂંટણી પહેલા ગરમાવો, BJP ઉમેદવાર અતુલ મિશ્રાના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી.
ચાંદખેડામાં ચૂંટણી પહેલા ગરમાવો, BJP ઉમેદવાર અતુલ મિશ્રાના ગેરકાયદે બાંધકામની કોંગ્રેસે પોલ ખોલી.
Published on: 16th April, 2026

ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસે BJP ઉમેદવાર અતુલ મિશ્રા પર ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના રાજશ્રીબેને માર્જિનની જગ્યામાં દબાણ અને શેડ બનાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અતુલ મિશ્રાએ સોસાયટીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 2024 થી રજૂઆત છતાં AMC એ કોઈ કાર્યવાહી કરી નથી. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે. આ બાબતથી ભાજપની ઉમેદવાર પસંદગી પર સવાલો ઉભા થયા છે.