Menu
તકલાદી નાળું: યાલના નાળાના 2 વખત રિપેરિંગ પાછળ‎ 65 લાખનો ખર્ચ કરાયો પણ ફરી તૂટી ગયું‎
તકલાદી નાળું: યાલના નાળાના 2 વખત રિપેરિંગ પાછળ‎ 65 લાખનો ખર્ચ કરાયો પણ ફરી તૂટી ગયું‎
Published on: 25th June, 2025

નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ પાસે આવેલું નાળુ તૂટી જવાથી રોજના 2-3 હજાર વાહનચાલકોને 30 કિમીનો ફેરવો કરવો પડે છે. આ નાળુ છેલ્લા સમયમાં 3 વખત તૂટી ચૂક્યું છે અને તેના રીપેરિંગમાં 65 લાખથી વધુ ખર્ચ થઈ ચૂક્યો છે. મહારાષ્ટ્ર તરફથી આવનારા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. ભારે વરસાદ અને પાણીના વધારાને કારણે આ નાળુ ફરી તૂટ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. નવું નાળુ હવે આવતા વર્ષે જ બને તેવી સંભાવના છે તેથી ચોમાસા દરમિયાન ફેરવો ફરવો જ પડશે.