Menu
કામદારો માટેનાં 366 આવાસ 8 વર્ષથી ખંડેર છતાં 10 પ્લોટ પર 5 હજાર મકાનો બનાવાશે!
કામદારો માટેનાં 366 આવાસ 8 વર્ષથી ખંડેર છતાં 10 પ્લોટ પર 5 હજાર મકાનો બનાવાશે!
Published on: 25th June, 2025

શહેરમાં 2014થી 2020 સુધી જુદી જુદી આવાસ યોજના હેઠળ બનાવેલા મકાનો ખંડેર થઇ ગયા છે અને હજુ લાભાર્થીને ફાળવાયા નથી. 2016-17માં 14 કરોડ ખર્ચી 366 આવાસ બનાવાયા, જે ખંડેર બની ગયા. હવે પાલિકા નવા ગતકડુ હેઠળ શ્રમિક બસેરા યોજના અંતર્ગત વડોદરામાં 10 પ્લોટ પર 5 હજાર પ્રિ-ફેબ્રિકેટેડ આવાસો બનાવવાનું આયોજન કરી રહી છે. જુના પ્રોજેક્ટના મકાનોની યથાવત જાળવણી ન હોવાથી બારી-બારણાં, વાયરિંગ અને બાથરૂમની વસ્તુઓ ચોરાઇ ગઈ છે અને સુરક્ષા ગાર્ડ મુકાયા છે. આ 2333 મકાનો હજુ ખાલી છે અને ટેન્ડરિંગ દ્વારા ભાડે આપવાનો વિચાર છે.