દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસે 500થી વધુ રચનાઓને આપી હતી ધૂન
દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસે 500થી વધુ રચનાઓને આપી હતી ધૂન
Published on: 03rd September, 2026

ગુજરાતી સંગીત જગતના મહાન સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન થયું છે. દાયકાઓ સુધી પોતાના સંગીતથી લોકોને મંત્રમુગ્ધ કરનાર ગૌરાંગભાઈની વિદાયથી ગુજરાતી સુગમ સંગીત અને લોક સંસ્કૃતિનો એક સુવર્ણ યુગ સમાપ્ત થયો છે. માત્ર પાંચ વર્ષની વયે સંગીત યાત્રા શરૂ કરનાર ગૌરાંગ વ્યાસે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને 500થી વધુ ગીત-ગઝલ જેવી રચનાઓને પોતાના મધુર સૂરથી સંગીતબદ્ધ કરી હતી. તેમના લોકપ્રિય આલ્બમ્સ અને ગીતો આજે પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે.