સ્વરા ભાસ્કરનું 'પદ્માવત' ફિલ્મમાં ગર્ભવતીના જૌહર પર વિવાદીત નિવેદન
સ્વરા ભાસ્કરનું 'પદ્માવત' ફિલ્મમાં ગર્ભવતીના જૌહર પર વિવાદીત નિવેદન
Published on: 01st September, 2026

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે 'પદ્માવત' ફિલ્મમાં દર્શાવાયેલા જૌહરના દ્રશ્ય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ દ્રશ્ય રેપ સર્વાઇવર્સને ખોટો સંદેશ આપે છે. એક ગર્ભવતી મહિલાના જૌહર કરવાના ક્લોઝ-અપ શોટ પર વાંધો ઉઠાવતા તેમણે સંજય લીલા ભંસાલીને પત્ર લખીને કહ્યું કે આ કાયરતા છે, બહાદુરી નથી. સ્વરાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. યુઝર્સે જૌહરને બહાદુરીનું પ્રતિક ગણાવી સ્વરાની ટીકા કરી છે.