રાજકોટમાં જન્માષ્ટમીના ભવ્ય રંગોત્સવ અને લોકમેળાનો ઉત્સાહ
રાજકોટમાં જન્માષ્ટમીના ભવ્ય રંગોત્સવ અને લોકમેળાનો ઉત્સાહ
Published on: 03rd September, 2026

જન્માષ્ટમીના પાવન પ્રસંગે રાજકોટમાં ઉત્સાહ ચરમસીમાએ છે. ઇન્દિરા સર્કલ, નાણાવટી ચોક અને ભગવતીપરામાં બદ્રીનાથ, દ્વારકાનગરી અને જગન્નાથ રથયાત્રાની થીમ આધારિત 3 રથ તથા રોશનીથી સજ્જ ફ્લોટ્સ શ્રાદ્ધાળુઓ માટે 6 સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનો સત્તાવાર પ્રારંભ બુધવારે થશે, પરંતુ મંગળવાર રાતથી જ રોશની વચ્ચે રાજકોટવાસીઓનો ધસારો જોવા મળ્યો છે, જે મેળાની રંગત આગોતરી જામી ગઈ હોવાનું દર્શાવે છે.