જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકી હસ્તે ‘નાટ્ય રંગોત્સવ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ
જાણીતા નાટ્યકાર પ્રવીણ સોલંકી હસ્તે ‘નાટ્ય રંગોત્સવ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ
Published on: 29th May, 2026

ગુજરાતી રંગભૂમિ પર બહુ ઓછા પુસ્તકો ઉપલબ્ધ છે ત્યારે, કવિ-વાર્તાકાર-નાટ્યકાર સતીશ વ્યાસ રચિત ‘નાટ્ય રંગોત્સવ’ પુસ્તકનું લોકાર્પણ 30 મે 2026ના રોજ જાણીતા નાટ્ય લેખક પ્રવીણ સોલંકીના હસ્તે થશે. ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંગીતકાર-લેખક સ્નેહલ મુઝુમદાર, વિકાસ ઘનશ્યામ નાયક, કેયુરી શાહ, ડો. પ્રીતિ જરીવાલા, અને અનેક નાટ્ય કલાકારો વિવિધ રજૂઆતો કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે.