અભિનેત્રી ઉર્ફી જાવેદ ટ્રાન્સજેન્ડર હોવાના આરોપોથી ભડકી
અભિનેત્રી ઉર્ફી જાવેદ ટ્રાન્સજેન્ડર હોવાના આરોપોથી ભડકી
Published on: 12th September, 2026

અતરાંગી ફેશન અને બોલ્ડ પર્સનાલિટી માટે જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની સ્ટાઈલ અને સ્પષ્ટ મંતવ્યો માટે હંમેશા ચર્ચામાં રહે છે. પોતાના રિવિલિંગ કપડાં અને બોલ્ડનેસના કારણે તેને અનેકવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. તાજેતરમાં, 'The Arshi Talk Show' માં, ઉર્ફીએ જણાવ્યું કે કેટલાક ટ્રોલર્સ દ્વારા તેના પર ટ્રાન્સજેન્ડર (કિન્નર) હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉર્ફીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અજાણ્યા લોકોની વાતોની તેને પરવા નથી. ઇન્ટરનેટ પર બેસીને અંકલ-આંટી કંઈ પણ બોલતા હોય છે, જાણે તેમણે જ તેને જન્મ આપ્યો હોય.