માનુષી છિલ્લરે NEET પેપર લીકની દર્દનાક કહાણી વર્ણવી
માનુષી છિલ્લરે NEET પેપર લીકની દર્દનાક કહાણી વર્ણવી
Published on: 01st August, 2026

બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે NEET પેપર લીક વિવાદ વચ્ચે વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે. તેણીએ પોતાના ભૂતકાળના કડવા અનુભવને યાદ કરતાં કહ્યું કે, 2015માં NEET પરીક્ષા પેપર લીક થતાં રદ કરવામાં આવી ત્યારે તે એક મોટો સદમો હતો. મહિનાઓની મહેનત પછી પરીક્ષા ફરી આપવી પડી. તેણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના માતા-પિતાએ કોચિંગ માટે દેવું કર્યું હોય છે અને લાખો વિદ્યાર્થીઓ ઘર-ગામ છોડીને પીજીમાં રહીને અભ્યાસ કરે છે. તેમના માટે 'ફરી પરીક્ષા આપો' એમ કહેવું સરળ છે, પણ તેમની ભાવનાત્મક પીડા ઓછી થતી નથી.