NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રી રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
NEET પેપર લીક મામલે દિલ્હીમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરોધ બાદ ગુજરાતમાં પણ તેની અસર દેખાઈ. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. બેઠક બાદ નેતાઓ અને કાર્યકરો કાર્યાલય બહાર ધસી આવ્યા અને સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા. ચાર રસ્તા નજીક પોલીસ સાથે ઘર્ષણ થયું, જેમાં કેટલાક કાર્યકરો પોલીસની ગાડીઓ પર પણ ચઢી ગયા. પોલીસે અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી.
NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રી રાજીનામાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારમાં આવેલ રિધાન ઇમિગ્રેશનની કાજલ જોષી નામની વિઝા કન્સલટન્ટે બે યુવકોને વિદેશમાં નોકરી અપાવવાના નામે કુલ રૂ. ૨.૪૫ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આણંદના ટૂર ઓપરેટર સ્નેહલ વ્યાસે નેધરલેન્ડ જવા માટે ૪ લાખ નક્કી કર્યા હતા, જેમાં ૫૦ હજારની પ્રથમ ચુકવણી બાદ નોર્વે વિઝાના નામે વધુ ૭૫ હજાર પડાવ્યા હતા. જોકે, વિઝા મળ્યા ન હતા. સાવલીના કિશોરભાઈ મકવાણા પાસેથી પણ ૧.૨૦ લાખ પડાવ્યા હતા. ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નેધરલેન્ડ અને નોર્વે વિઝાના નામે બે યુવકો સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ CJP પ્રતિનિધિમંડળ સાથે થયેલી વાતચીત અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, વિપક્ષ પેપર લીકના મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. CJPએ તેમની માંગણીઓ જણાવી, જેના પર કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો. નડ્ડાએ રાહુલ ગાંધી પર પેપર લીક મામલે ખોટા આરોપો લગાવવાનો આરોપ લગાવ્યો. CJP સાથેની વાતચીત ખૂબ જ સારા વાતાવરણમાં થઈ, જેમાં તેમની માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ અપાયો. સંસદમાં પેપર લીક પર ચર્ચા માટે સરકાર તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું.
CJP પ્રતિનિધિમંડળ સાથેની વાતચીત પર જે.પી. નડ્ડાએ કરી સ્પષ્ટતા
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
દિલ્હીના ટૉલ્સ્ટૉય માર્ગ પર NEET પરીક્ષાના વિરોધ દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળી. પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા. RAF અને દિલ્હી પોલીસ ટીમો પર પથ્થરો, બોટલો અને લાકડીઓ વડે હુમલો થયો. ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના ગોળા છોડ્યા. જંતર-મંતર પર NEET પેપર લીક વિરોધ ચાલુ રહ્યો, પરંતુ ટૉલ્સ્ટૉય માર્ગ પર પથ્થરમારાનું કારણ સ્પષ્ટ નથી. હાલ સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દિલ્હીમાં NEET પરીક્ષા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, લાઠીચાર્જ અને ટીયર ગેસ
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી આંદોલન અને પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના પડઘા ગુજરાતભરમાં જોવા મળ્યા છે. અમદાવાદ સહિત વાવ-થરાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બાવળામાં NEET પેપરલીક અને વિદ્યાર્થીઓ પર થયેલા દમન સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે જનઆક્રોશ જોવા મળ્યો. થરાદમાં કોંગ્રેસે ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના પગલે કેટલાક આગેવાનોની અટકાયત કરાઈ. બાવળા ખાતે પણ ગ્રામજનો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ પેપરલીક અને વિદ્યાર્થીઓ પરના દમન સામે રોષ વ્યક્ત કર્યો.
NEET પેપર લીક અને વિદ્યાર્થી દમન પર બાવળામાં કોંગ્રેસનો વિરોધ
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષને ગૃહમાંથી બહાર કાઢી મૂકવાનો મામલો ચર્ચામાં છે. અખરુજ્જમાં ના ભાષણ દરમિયાન, કુણાલ ઘોષ વેલમાં પહોંચી ગયા અને અવરોધ ઊભો કર્યો. ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે ચર્ચા કરી, જેના પગલે સ્થિતિ વધુ વણસી. અધ્યક્ષની અપીલ છતાં, કુણાલ ઘોષે સીટ પર પાછા ફરવાનો ઇનકાર કરતાં, માર્શલોએ તેમને બળજબરીપૂર્વક બહાર કાઢી મૂક્યા. આ ઘટના રાજકીય ગરમાવા વચ્ચે બની છે, જ્યાં TMCમાં હાલ બળવાની સ્થિતિ જોવા મળી રહી છે.
બંગાળ વિધાનસભા ગૃહમાંથી TMC ધારાસભ્યને ટીંગાટોળી કરીને બહાર લઈ ગયા માર્શલ
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
કોકરોચ જનતા પાર્ટી (CJP)નું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ થોડા સમય માટે અચાનક સસ્પેન્ડ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી હતી. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો કે સરકારના નિર્દેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. જોકે, થોડા જ સમયમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી સક્રિય થઈ ગયું હતું. હાલમાં અકાઉન્ટ સામાન્ય રીતે કાર્યરત છે અને અગાઉની જેમ ઉપલબ્ધ છે.
CJPનું ઈન્સ્ટાગ્રામ થોડા સમય માટે બંધ: અભિજીત દીપકેએ સરકાર પર લગાવ્યો આરોપ
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
ગુજરાત સરકાર દ્વારા નાણા વિભાગને મજબૂત બનાવવાના પ્રયાસરૂપે, ગાંધીનગરમાં એક સમારોહ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે GPSC પરીક્ષા પાસ કરનાર ૩૦૧ તેજસ્વી યુવાનોને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ યુવા અધિકારીઓ રાજ્યના આર્થિક વિકાસ અને મહેસૂલી પ્રગતિમાં ફાળો આપશે. ટેક્સ વિભાગને નવી ઊર્જા મળશે. ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સાથે કામ કરીને મહેસૂલી આવક વધારવામાં અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’માં યોગદાન આપશે.
૩૦૧ નવનિયુક્ત સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર્સ રાજ્ય સેવામાં જોડાયા
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
બનાસકાંઠામાંથી અલગ બનેલા નવા વાવ-થરાદ જિલ્લામાં આજે 22 જુલાઈથી ‘સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, થરાદ (GJ-40)’નું સત્તાવાર રીતે કાર્ય શરૂ થયું છે. આ નવી કચેરી શરૂ થતાં દિયોદર, લાખણી, થરાદ, રાહ, વાવ, ધરણીધર, સુઇગામ અને ભાભર તાલુકાના વાહનચાલકોને હવે વાહન નોંધણી, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના આરટીઓ સંબંધિત કામો માટે અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. તમામ સેવાઓ હવે સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ બનશે.
GJ-40 હવે વાવ-થરાદની નવી ઓળખ!
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી કરી છે. જેમાં 25-26 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અમદાવાદમાં NEET પેપર લીક મામલે 'Gen Z Protest' યોજાવાનો હતો, પરંતુ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે એકઠા થયેલા વિદ્યાર્થીઓને પોલીસે બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા. આ દરમિયાન, અભ્યાસ કરતી અને ચા પીવા આવેલી સામાન્ય યુવતીઓની પણ અટકાયત કરાઈ. નિર્દોષ નાગરિકો અને વિદ્યાર્થીઓની આડેધડ અટકાયત અંગે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાંતિપૂર્ણ વિરોધ પહેલાં જ કાર્યવાહી અને બળપ્રયોગ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ દર્શાવે છે.
NEET મુદ્દે 'Gen Z પ્રોટેસ્ટ' પહેલાં અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં અનેક મોટા નિર્ણયો લેવાયા. આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને ચર્ચા થઈ. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેમાં 5 દિગ્ગજ સંતોને જવાબદારી સોંપાઈ. SBIની કામગીરી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી અને MOUની સમીક્ષા કરવામાં આવી. SIT રિપોર્ટની રાહ જોવાય રહી છે અને સુરક્ષાની પણ સમીક્ષા કરાઈ. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક થશે.
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની બેઠક: 5 સંતોને જવાબદારી
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
વલસાડના ધરમપુર તાલુકામાં માન નદીના પુલ પરથી એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. સુરતના નિકુંજ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા બાદ સુરત પરત ફરી રહ્યા હતા. પુલ પર પાણી હોવા છતાં કાર આગળ વધારતાં તે વહેણમાં આવી ગઈ. જોકે, ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી તરીને પોતાનો જીવ બચાવ્યો. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કારને પણ નદીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો.
વલસાડના ધરમપુરમાં માન નદીના પુલ પર કાર તણાઈ
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
અમદાવાદના ઘુમા, શીલા અને બોપલ વિસ્તારમાં દીપડાની હિલચાલના અહેવાલો બાદ વન વિભાગે સર્વેલન્સ વધાર્યું છે. 30થી વધુ ટીમો પુરાવા એકત્ર કરી રહી છે, જેમાં પગલાંના નિશાન, મળ, અને કેમેરા ટ્રેપ ફૂટેજનો સમાવેશ થાય છે. 24 કલાક મોનિટરિંગ ચાલી રહ્યું છે, પરંતુ અત્યાર સુધીના થર્મલ ચિત્રોમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ થઈ નથી; નીલગાયની હાજરી જોવા મળી છે. વિભાગે રહીશોને અફવાઓ ન ફેલાવવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.
થર્મલ ચિત્રો પ્રમાણે અમદાવાદમાં દીપડાની હાજરીની કોઈ પુષ્ટિ નહીં
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હોબાળો અને વિદ્યાર્થી આંદોલનો વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર કડક પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરી રાજકીય હિત માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. રાજનાથ સિંહે જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે, છતાં વિપક્ષ ચર્ચાથી દૂર રહી રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના યુવાનો આવા રાજકીય ષડયંત્રનો ભાગ નહીં બને.
‘વિદ્યાર્થીઓને ભડકાવ્યા, સંસદમાં ચર્ચાથી ભાગ્યા’, રાજનાથ સિંહના વિપક્ષ પર પ્રહાર
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે CCTV, બોડી કેમ ફૂટેજ અને તમામ સંબંધિત રેકોર્ડ તાત્કાલિક સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. અરજીકર્તાઓના વકીલોએ સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવવા અને લાઠીચાર્જને ગેરબંધારણીય ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે આ અરજીઓને પબ્લિસિટી સ્ટંટ ગણાવી વિરોધ કર્યો હતો.
જંતર-મંતર લાઠીચાર્જ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ, કેન્દ્ર અને પોલીસને નોટિસ
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
અમરેલીમાં સારા વરસાદ બાદ સાવરકુંડલામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા વિકટ બની છે. જેસર રોડ પરની મધુવન, સરદાર પટેલ, ગીતાંજલિ સહિત અનેક સોસાયટીઓમાં ગંદા પાણી ફરી વળતાં સ્થાનિકો સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ અને મચ્છરોના ઉપદ્રવથી ભયભીત છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખના ઘર પાસે પણ આ સ્થિતિ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતાં ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
સાવરકુંડલામાં 'વિકાસ' ઉભરાયો: ગટરના પાણી સોસાયટીઓમાં ફરી વળ્યા
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
ગુજરાત સરકાર રાજ્યમાં નશા મુક્તિની લડતને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા De-addiction Centers શરૂ કરવામાં આવશે. આ માટે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રોમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ડિટોક્સ સારવાર, ડી-એડિક્શન થેરાપી, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવા, પરિવાર પરામર્શ અને પુનર્વસનની સુવિધાઓ IPD અને OPD ધોરણે ઉપલબ્ધ કરાશે. નિષ્ણાત સ્ટાફની ટીમ પણ તૈનાત રહેશે.
ગુજરાતના દરેક જિલ્લાની હોસ્પિટલમાં નશા મુક્તિ માટે શરૂ કરાશે De-addiction Centers
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
સામાજિક કાર્યકર Sonam Wangchuk એ કેન્દ્રીય મંત્રી Jitendra Singh અને JP Nadda ને પત્ર લખી વિદ્યાર્થીઓની માંગણીઓ પર સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. તેમણે શિક્ષણમંત્રીની જવાબદારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની અને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની રજૂઆત કરી છે. સોનમ વાંગચુકે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ દંડાત્મક કાર્યવાહી ન કરવા અને નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. સરકાર તરફથી માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ મળ્યા બાદ, જો સરકાર આ વિશ્વાસ લેખિતમાં વ્યક્ત કરશે તો તેઓ ઉપવાસ પૂર્ણ કરશે.
સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
દિલ્હી હિંસા: 10 FIR બાદ પોલીસ એક્શનમાં, ઉપદ્રવીઓને પકડવા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ
CJP અને વિદ્યાર્થી સંગઠનોના પ્રદર્શન બાદ દિલ્હી પોલીસ કડક એક્શનમાં આવી ગઈ છે. કાયદો અને વ્યવસ્થા બગાડનારા તથા હિંસાના માસ્ટરમાઇન્ડ્સને પકડવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 5 પોલીસ સ્ટેશનોમાં 10 FIR નોંધાઈ છે. તપાસ માટે FRS અને AI જેવી હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. CCTV, બોડી કેમેરા, ડ્રોન ફૂટેજ અને સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા શંકાસ્પદોની ઓળખ થઈ રહી છે. હિંસા પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.
દિલ્હી હિંસા: 10 FIR બાદ પોલીસ એક્શનમાં, ઉપદ્રવીઓને પકડવા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ
‘તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે’ ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા ટ્રોલ
હાલમાં દેશમાં શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પદ્ધતિને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ચરમસીમાએ છે. આ દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગને કારણે નૈમિષાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું. નૈમિષાએ અમેરિકાની ટફ્ટ્સ યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, દેશની શિક્ષણ વ્યવસ્થા નબળી હોવાથી જ મંત્રીની પુત્રી વિદેશ અભ્યાસ કરવા ગયા.
‘તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે’ ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા ટ્રોલ
મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂકના આરોપમાં TMC સાંસદ મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ
TMC સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમાં મહિલા સભ્યો સાથે કથિત ગેરવર્તણૂક, દુર્વ્યવહાર અને અસંસદીય ટિપ્પણીઓના આરોપમાં ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં પ્રસ્તાવ મૂક્યા બાદ અને ગૃહ દ્વારા ધ્વનિમતથી સ્વીકારવામાં આવી હતી. બેનર્જીની NCPI સાંસદો મિતાલી બાગ, શતાબ્દી રોય અને કાકોલી ઘોષ દસ્તીદાર સાથે પણ તીખી તકરાર થઈ હતી.
મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂકના આરોપમાં TMC સાંસદ મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ
શરદ પવાર-સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત!
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ અણધારી મુલાકાતને પગલે શરદ પવારનો જૂથ NDA ની નજીક જઈ રહ્યો હોવાની અટકળો ફરી તેજ થઈ છે. NEET વિવાદ અને પરિસીમન બિલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. જોકે, સુપ્રિયા સુલેએ આ અટકળોને ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે આ મુલાકાત માત્ર વહીવટી કામકાજ અર્થે હતી, કોઈ રાજકીય જોડાણ માટે નહીં.
શરદ પવાર-સુપ્રિયા સુલેની PM મોદી સાથે મુલાકાત!
NEET વિરોધ: પટણા, જયપુર, ભોપાલમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
NEET પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થા સામે દેશભરમાં ફેલાયેલું આંદોલન હવે રાજકીય વળાંક લઈ રહ્યું છે. દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે અનેક રાજ્યોમાં પહોંચ્યા છે. સંસદ માર્ચ દરમિયાન થયેલા ઘર્ષણ અને રાહુલ ગાંધીની અટકાયત બાદ 'ધરણાં સામે ધરણાં'ની રાજનીતિ તેજ બની છે. પરિણામે, પટણા, જયપુર અને ભોપાલ જેવા શહેરોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા છે, જ્યાં ભારે ઘર્ષણ અને પથ્થરમારાની ઘટનાઓ બની છે. વિપક્ષ સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે સરકાર આ મુદ્દાનું રાજકારણ કરવાનો પ્રત્યાઘાત આપી રહી છે.
NEET વિરોધ: પટણા, જયપુર, ભોપાલમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
જામનગર નજીક ખીજડીયા ગામ પાસે દીપડો દેખાયો
જામનગર નજીકના નવી મોખાણા ગામની સીમમાંથી દીપડો ખીજડીયા તરફ નાસી ગયો હોવાનું અનુમાન છે. પગપાળા જતા યાત્રિકોએ દીપડાને માર્ગ ઓળંગતો જોયો હતો. અગાઉ પણ ગ્રામજનોમાં ભય ફેલાવનાર આ દીપડાને પકડવા વન વિભાગે ટ્રેપ કેમેરા અને પાંજરા ગોઠવ્યા હતા, પરંતુ દીપડો હાથમાં આવ્યો ન હતો. હાલમાં, ખીજડીયા વિસ્તારમાં ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે અને વન વિભાગના અધિકારીઓ દીપડો ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
જામનગર નજીક ખીજડીયા ગામ પાસે દીપડો દેખાયો
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: કોર્ટનો 'શો કોઝ' નોટિસ ફટકારવાનો ઐતિહાસિક નિર્ણય
જામનગર સરકારી ડેન્ટલ કોલેજના રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડમાં સેશન્સ કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓને 'શો કોઝ' નોટિસ ફટકારી છે, કારણ કે ડીન સીધી રીતે જવાબદાર હોવા છતાં તેમને આરોપી બનાવવાને બદલે બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. કોર્ટે જણાવ્યું કે 13 ચેક પર ડીનની પોતાની સહીઓ છે, છતાં એક કર્મચારીને બલિનો બકરો બનાવવાનું કાવતરું રચાયું છે. આ તપાસ એજન્સીની શંકાસ્પદ કામગીરી સામે કોર્ટે લાલ આંખ કરી છે અને 27મી સુધીમાં ખુલાસો માંગ્યો છે.
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: કોર્ટનો 'શો કોઝ' નોટિસ ફટકારવાનો ઐતિહાસિક નિર્ણય
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિલ્હી સ્થિત નિવાસસ્થાન બહાર થયેલા કોંગ્રેસના પ્રદર્શનના વિરોધમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ઉગ્ર ધરણાં પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. કોઈપણ અપ્રિય ઘટના રોકવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ડબલ લેયર બેરિકેડિંગ ગોઠવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.
દિલ્હી પ્રદર્શનના પ્રત્યાઘાત: અમદાવાદમાં ભાજપ દ્વારા રાજીવ ગાંધી ભવન બહાર ધરણાં
'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન
NEET પેપર લીક અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહીને લઈને વિપક્ષે કેન્દ્ર સરકાર પર હુમલા તેજ કર્યા છે. આ વિરોધ વચ્ચે બુધવારે કેન્દ્ર સરકાર સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટ કર્યું હતું કે, 'સરકાર નીટ પેપર લીક અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે. વિદ્યાર્થીઓ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે.' જોકે, વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ રહ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી.
'NEET પેપર લીક વિવાદ મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર...', કેન્દ્રીય મંત્રી રિજિજૂનું મોટું નિવેદન
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
સૌની યોજના હેઠળ, રાજ્ય સરકાર દ્વારા જામનગર શહેર માટે નર્મદા નદીનું પાણી આજી-3, ઊંડ-1 અને સસોઈ ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા કુલ 550 એમસીએફટી પાણી ફાળવવામાં આવ્યું છે, જેમાં આજી-3 ડેમમાં 200 એમસીએફટી, ઊંડ-1 ડેમમાં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણી આવશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ એક મહિનો લાગશે. ચોમાસામાં વિલંબ છતાં, આ પગલાથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં રાહત મળશે અને પાણીની અછતનો ભય ઘટશે.
નર્મદાનું નીર જામનગરના જળાશયોમાં પહોંચાડવાનું શરૂ
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
સુરતમાં વરસાદ પડતાં જ રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ ફરી સામે આવી છે. કરોડો રૂપિયાના રોડ બનાવવાના દાવા વચ્ચે ગોડાદરા માનસરોવર વિસ્તારમાં રોડ અચાનક બેસી જતાં એક ડમ્પર ભુવા માં ફસાઈ ગયું. આ ઘટનાએ પાલિકાની કામગીરી અને રોડની ગુણવત્તા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. વરસાદી મોસમમાં રસ્તા ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે. પ્રી-મોન્સૂન કામો અને રસ્તા ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફળ રહી છે, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વરસાદે ફરી ખોલી પાલિકાના વિકાસના દાવાની પોલ
નવસારીમાં ધોધમાર વરસાદ: નદીઓમાં ઘોડાપૂર, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ
નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે મીંઢોળા, અંબિકા, કાવેરી અને ઓરંગા જેવી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર બંધ થયો છે. કાવેરી નદી ભયજનક સપાટી વટાવતા બીલીમોરા શહેરમાં પૂર આવ્યું છે. SDRF ટીમો દ્વારા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ છે.