સાબરકાંઠા અને કેરળમાં શિક્ષકો પરના દંડાત્મક પગલાં રદ કરવા શૈક્ષિક મહાસંઘની માંગ
સાબરકાંઠા અને કેરળમાં શિક્ષકો પરના દંડાત્મક પગલાં રદ કરવા શૈક્ષિક મહાસંઘની માંગ
Published on: 19th August, 2026

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર દ્વારા શિક્ષકો સામેની કથિત અન્યાયી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને સાબરકાંઠાની હરસનપુર શાળામાં મધ્યાહન ભોજન મુદ્દે શિક્ષકને ફરજમુક્ત અને આચાર્યને ચાર્જશીટ આપવાની કાર્યવાહી રદ કરવાની માંગ કરી છે. મહાસંઘનું કહેવું છે કે ભોજન વ્યવસ્થાની મુખ્ય જવાબદારી કૂક-કમ-હેલ્પર્સ, સ્વસહાય જૂથો અને SMCની હોવાથી શિક્ષકોને સીધા જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. ઉપરાંત, કેરળમાં સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકના સસ્પેન્શનને શૈક્ષણિક સ્વતંત્રતા પર હુમલો ગણાવી વિરોધ નોંધાવ્યો છે.