‘આદ્યાક્ષર’નું વિમોચન: શહેરના કવિઓ હાજર, વિદ્યાર્થીઓના ગદ્ય-પદ્ય અને કૃતિઓથી ‘આદ્યાક્ષર’નું નિર્માણ.
‘આદ્યાક્ષર’નું વિમોચન: શહેરના કવિઓ હાજર, વિદ્યાર્થીઓના ગદ્ય-પદ્ય અને કૃતિઓથી ‘આદ્યાક્ષર’નું નિર્માણ.
Published on: 10th April, 2026

ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગ દ્વારા વાર્ષિક મુખપત્ર ‘આદ્યાક્ષર’ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ દ્વારા સઘન અધ્યયન, વિવિધ પ્રવૃત્તિઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરીને ‘આદ્યાક્ષર’ને એક સંદર્ભ ગ્રંથ જેવો ઘાટ આપ્યો. આમાં વિદ્યાર્થીઓની કૃતિઓ અને આદિવાસી કલાના સંશોધકોની મુલાકાતની વિગતો છે. વડોદરાના કવિ નૈષધ મકવાણાએ પોતાની કવિતા રજૂ કરી.