બોટાદ કલામહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધાના કાર્યક્રમમાં ફેરફાર
બોટાદ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાની કલામહાકુંભ ૨૦૨૬-૨૭ સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી છે. વધુ સ્પર્ધકો ભાગ લઇ શકે તે હેતુથી અરજી ફોર્મ જમા કરાવવાની મુદત વધારીને ૩૦ ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ સ્પર્ધા ૧૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી. ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ ૭ ઓગસ્ટ હતી, જેમાં ફેરફાર કરાયો છે. સ્પર્ધાની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે.
બોટાદ કલામહાકુંભ તાલુકા કક્ષાની સ્પર્ધાના કાર્યક્રમમાં ફેરફાર
BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં BCCIની મુશ્કેલી વધી છે. કોલંબોમાં વોર્મ-અપ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ગિલના જમણા હાથના અંગૂઠા પર બે વખત બોલ વાગ્યો હતો, જેના કારણે તેને ઈજા થઈ હતી. મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર કરી, પરંતુ ફરીથી ઈજા થતાં ગિલે પ્રેક્ટિસ છોડી દીધી. 15 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા તેની ફિટનેસ અંગે પ્રશ્નો સર્જાયા છે.
BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ
સુરતના ભેસ્તાન ખાતે સતીષ મરાઠાની જૂની અદાવતમાં થયેલી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. LCB અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં મુખ્ય આરોપીઓ સહિત 8 જણાને દબોચી લીધા છે, જેમાં 4 પુખ્ત અને 4 સગીરનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે જેલમાં બંધ રાહુલ સોમન મંડલ મુખ્ય કાવતરાખોર છે. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 3 મોપેડ જપ્ત કરાયા છે. મૃતકના ગુનાઈત ભૂતકાળને કારણે ગેંગવોર અને વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ હોવાની આશંકા છે.
સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ
ક્રિકેટથી રાજકારણ: શાકિબ અલ હસનની કારકિર્દીનો દુ:ખદ અંત
બાંગ્લાદેશના મહાન ક્રિકેટર શાકિબ અલ હસનની કારકિર્દી કરૂણ અંત તરફ આગળ વધી રહી છે. એક સમયે 'નેશનલ હીરો' ગણાતા શાકિબ આજે જનતાના રોષનો ભોગ બન્યા છે. ક્રિકેટની સફળતા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો અને શેખ હસીનાની 'આવામી લીગ' સાથે જોડાયા. 2024ની ચૂંટણીમાં સાંસદ બન્યા, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પર લાગેલા આરોપો અને વિદ્યાર્થી આંદોલન દરમિયાન શાકિબના મૌનથી જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. તેના ઘર પર હુમલો થયો અને તેને દેશ છોડી અમેરિકામાં રહેવાની ફરજ પડી છે.
ક્રિકેટથી રાજકારણ: શાકિબ અલ હસનની કારકિર્દીનો દુ:ખદ અંત
પંચમહાલમાં કેનાલ કિનારે મગરનો ભય!
પંચમહાલના શહેરા નગરપાલિકા વિસ્તારમાં વચ્છેસર કોલોની તરફના મુખ્ય માર્ગ પર મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી 70 જેટલા પરિવારો અંધારામાં જીવી રહ્યા છે. ચોમાસામાં ઝેરી જનાવરો અને મગરના ભય વચ્ચે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. થોડા સમય પહેલાં લગાવેલા થાંભલાઓ પર પણ લાઈટો ન હોવાથી કેનાલ નજીક રાત્રે અવરજવર કરવી અત્યંત જોખમી બની ગઈ છે. બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ કરાઈ છે.
પંચમહાલમાં કેનાલ કિનારે મગરનો ભય!
ગુજરાત હાઇકોર્ટ: "પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય"
ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે, સરકારી કર્મચારી સામે માત્ર વ્યક્તિગત જીવન સંબંધિત ફોજદારી કેસ નોંધાયેલો હોય અને વિભાગીય તપાસ શરૂ ન થઈ હોય, તો તેને ફરજ પરથી રોકી શકાય નહીં. કોર્ટે એક ક્લાર્કને ચાર અઠવાડિયામાં ફરજ પર પુનઃસ્થાપિત કરવા અને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવા રાજ્ય સત્તાધીશોને નિર્દેશ આપ્યો છે. પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય તેવું હાઇકોર્ટે જણાવ્યું. આ પુનઃસ્થાપન ફોજદારી કેસના અંતિમ પરિણામને આધીન રહેશે.
ગુજરાત હાઇકોર્ટ: "પત્નીની આત્મહત્યાના કેસમાં પતિને નોકરીમાંથી ન હટાવી શકાય"
બજરંગદાસ બાપાની AI રીલ્સ શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ
બગદાણા આશ્રમ દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને બજરંગદાસ બાપા વિશે ફેલાવવામાં આવતી કાલ્પનિક વાતો અને બનાવટી તસવીરો શેર ન કરવી. સોશિયલ મીડિયા પર વ્યૂઝ અને લાઈક્સ મેળવવા માટે AI દ્વારા બનાવેલા બાપાના કલ્પનાશીલ ફોટા અને મનઘડંત રીલ્સ બનાવવામાં આવી રહ્યા છે, જે તેમના પવિત્ર સ્વરૂપ સાથે અન્યાય છે. આશ્રમે જણાવ્યું છે કે બાપાનું જીવન રામ ભક્તિ, 'સીતારામ' જાપ, સરળતા અને સદાવ્રત જેવી સેવા પર આધારિત હતું, નહીં કે ચમત્કારો પર. ભક્તોને આવા ફેક કન્ટેન્ટથી દૂર રહેવા વિનંતી કરાઈ છે.
બજરંગદાસ બાપાની AI રીલ્સ શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ
જૂના મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
જામનગર શહેરના રંગમતી પાર્ક શેરી નં. 2માં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. નજીકમાં રહેતા નિવૃત્ત ફાયર કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ફાયર જવાનોની સતર્કતા અને બચાવ કામગીરીને કારણે ત્રણેયને જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.
જૂના મકાનની છત ધરાશાયી થતાં પરિવાર દટાયો
GPCBનો મહત્વનો નિર્ણય: બામણબોર GIDC હવે રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્રમાં
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ વહીવટી સરળતા અને દેખરેખની ક્ષમતા વધારવા બામણબોર GIDCને સુરેન્દ્રનગરને બદલે રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવાનો નિર્ણય લીધો છે. આનાથી રાજકોટ કચેરીનું અંતર 84 કિ.મી.થી ઘટીને 29 કિ.મી. થયું છે, જે સ્થળ મુલાકાત અને ઈમરજન્સી પ્રતિસાદને ઝડપી બનાવશે. રાજકોટની સુસજ્જ પ્રયોગશાળા અને સ્ટાફનો લાભ ઉદ્યોગોને મળશે. બોટાદ જિલ્લો હવે સુરેન્દ્રનગર કચેરી હેઠળ આવશે, જેનાથી ઔદ્યોગિક અને આરોગ્ય સેવા એકમોને ફાયદો થશે.
GPCBનો મહત્વનો નિર્ણય: બામણબોર GIDC હવે રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્રમાં
'અમારા મહોલ્લામાં કેમ આવે છે?' બોલતાં પાડોશીએ બદલો લીધો, 6.56 લાખના દાગીના ચોરાયા!
અમદાવાદના રામોલ ખાતે 'અમારા મોહલ્લામાં કેમ આવે છે?' તેમ કહીને ટોકનારા પડોશીને પાઠ ભણાવવા માટે એક સગીરા અને તેના મિત્રએ મળીને ઘરમાંથી 6.56 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા. આ ચોંકાવનારી ઘટનામાં મુખ્ય આરોપી પ્રશાંત ઠાકોરની અટકાયત કરાઈ છે, જ્યારે સગીરાને કાયદેસર તપાસ માટે નજરકેદ કરાઈ છે. વિનય ભરવાડના ઘરે તિજોરીમાંથી દાગીના ગાયબ થતાં મામલો પ્રકાશમાં આવ્યો. જૂની અદાવતમાં ચોરીનું કાવતરું ઘડાયું હતું.
'અમારા મહોલ્લામાં કેમ આવે છે?' બોલતાં પાડોશીએ બદલો લીધો, 6.56 લાખના દાગીના ચોરાયા!
ગુજરાતના શિક્ષકોના પ્રશ્નો હવે ઓનલાઈન ઉકેલાશે!
ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના સમયબદ્ધ નિકાલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ (https://ssp.ssgujarat.org/) શરૂ કરાયું છે. આનાથી રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકોને જિલ્લા કે તાલુકા કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે. પ્રથમ તબક્કામાં 5 થી 31 ઓગસ્ટ, 2026 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારાશે. શિક્ષકો Teacher Code અને OTP મારફતે 3 મિનિટમાં અરજી નોંધાવી શકશે, જેમાં રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને SMS અલર્ટ મળશે. પુનઃ સમીક્ષા માટે 'Keep Open' વિકલ્પ ઉપલબ્ધ છે. DEO અને DPEO ની કામગીરીનું રાજ્ય કક્ષાએથી સીધું મોનિટરિંગ થશે.
ગુજરાતના શિક્ષકોના પ્રશ્નો હવે ઓનલાઈન ઉકેલાશે!
સુરતમાં ચોરીની શંકાસ્પદ યુવકનું કોર્ટમાં મોત
સુરત સિવિલ કોર્ટમાં ચોરીના આરોપી યુવક નરેશ પરમારના મોતથી ચકચાર મચી ગઈ છે. કતારગામ પોલીસે ચોરીના આરોપમાં અટકાયત કરેલા 33 વર્ષીય નરેશ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ રૂમમાં જ તે અચાનક ઢળી પડ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો. મૃતકના પરિવારે કતારગામ પોલીસ પર કસ્ટડીમાં ક્રૂર માર માર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેના કારણે યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે. પોલીસે તપાસ બાદ સત્ય બહાર આવવાની વાત કરી છે.
સુરતમાં ચોરીની શંકાસ્પદ યુવકનું કોર્ટમાં મોત
ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગુજરાત સરકારે 'ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ' (Dairy Analog Products) ના ઉત્પાદન અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા આદેશ જાહેર કરાયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરભરમાં ઝુંબેશ શરૂ કરી છે. રેસ્ટોરન્ટ્સ અને ફૂડ યુનિટ્સમાં તપાસ દરમિયાન પનીર એનાલોગ, ચીઝ એનાલોગ કે અન્ય કૃત્રિમ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી તેની ખાતરી કરવામાં આવી રહી છે. Food Business Operators (FBOs) ને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આ તપાસ ચાલુ રહેશે.
ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
ગુજરાત હાઇકોર્ટનો સિલિકોસિસ પીડિતોને વળતર ચૂકવણી માટે સમયમર્યાદા નક્કી કરવાનો આદેશ
ગુજરાત હાઇકોર્ટે રાજ્યની બહારથી સ્થળાંતર કરીને આવેલા સિલિકોસિસ પીડિત કામદારોના પરિવારજનો માટે વળતર ચૂકવણીની સમયમર્યાદા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. સિમેન્ટની ફેકટરીમાં કામ કરતા બાળકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. સરકાર દ્વારા પીડિતોના પરિવાર માટે નવી પોલિસી ઘડવામાં આવી છે, જેમાં અન્ય રાજ્યોના કામદારોને પણ રક્ષણ આપવાની ખાતરી આપવામાં આવી છે. કોર્ટે બાળ મજૂરી કરાવનારા કારખાનાઓ સામે કડક પગલાં લેવાની અને પીડિતોને ચોક્કસ સમયમર્યાદામાં વળતર ચૂકવવાની ટકોર કરી છે.
ગુજરાત હાઇકોર્ટનો સિલિકોસિસ પીડિતોને વળતર ચૂકવણી માટે સમયમર્યાદા નક્કી કરવાનો આદેશ
દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ
દાહોદના સીંગવડ અને સંજેલી તાલુકામાં મોટા બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૂળ હિંદુ રાવળ (OBC) જ્ઞાતિના હોવા છતાં, તલાટી-મામલતદારની મિલીભગતથી STના નકલી દાખલા મેળવી સરકારી નોકરીઓ, મેડિકલ એડમિશન, પેટ્રોલ પંપ અને સરપંચનું પદ મેળવાયું. કમલેશકુમાર રામસિંગભાઈ રાવળ અને તેમના પરિવારે સાચા આદિવાસીઓના હક્કો છીનવી લીધા છે. શાળા અને મહેસુલી રેકોર્ડમાં વિરોધાભાસ હોવા છતાં પ્રમાણપત્રો ઇશ્યૂ કરાયા, જે સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. આ મામલે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માગ સાથે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ
વડોદરામાં હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી ફરાર
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી સારવાર હેઠળ લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો એક આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. ઇન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ તેણે પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ નજીકની નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપી ગોવિંદ વિહાતિયાની સઘન શોધખોળ કરી રહી છે. આરોપીને કોઈ પણ અપ્રિય ઘટના વગર ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.
વડોદરામાં હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી ફરાર
ત્રણ વર્ષ બાદ પાકિસ્તાનની વિદેશી ધરતી પર ઐતિહાસિક જીત!
પોર્ટ ઑફ સ્પેન, ટ્રિનિડાડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝને આઠ વિકેટે હરાવીને બે મેચની સિરીઝ 1-1 થી ડ્રો કરી. આ જીત સાથે પાકિસ્તાને ત્રણ વર્ષ બાદ વિદેશમાં ટેસ્ટ જીત મેળવી અને કેરેબિયનમાં નવ વર્ષ બાદ વિજય નોંધાવ્યો. ઓપનર અબ્દુલ્લા શફીકની અજેય 160 રનની શાનદાર ઇનિંગ્સ અને કેપ્તાન બાબર આઝમની 88 રનની મદદથી પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 387 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડીઝના સ્પિનર જોમેલ વોરિકને 6 વિકેટ ઝડપી. બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઈન્ડીઝ 117 રનમાં ઓલઆઉટ થયું, જેના જવાબમાં પાકિસ્તાને 75 રનનો લક્ષ્યાંક સરળતાથી પાર પાડ્યો.
ત્રણ વર્ષ બાદ પાકિસ્તાનની વિદેશી ધરતી પર ઐતિહાસિક જીત!
રહાણેની કોચ ગૌતમ ગંભીરને સલાહ: ટેસ્ટ ટીમના સિનિયર ખેલાડીઓનું માન જાળવો
ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ હેડ-કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની ટીમ મેનેજમેન્ટને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પુનરુત્થાન માટે સિનિયર ખેલાડીઓને મહત્વ આપવાની અપીલ કરી છે. રહાણેના મતે, વાઇટ-બોલ ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરના ખરાબ પ્રદર્શન પાછળ સિનિયર ખેલાડીઓની ઓછી સંખ્યા અને અનુભવનો અભાવ મુખ્ય કારણ છે. ટીમે ઓછા અનુભવી ખેલાડીઓ પર નિર્ભર રહેવાને બદલે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ, જેથી સારા પરિણામો મળી શકે.
રહાણેની કોચ ગૌતમ ગંભીરને સલાહ: ટેસ્ટ ટીમના સિનિયર ખેલાડીઓનું માન જાળવો
ગુજરાતીઓનું સફળ ધન રહસ્ય!
ગુજરાતીઓ શા માટે હંમેશા આર્થિક રીતે સમૃદ્ધ રહે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ધન સંચયના નિયમો મુજબ, તેઓ દેખાડા માટે ખર્ચ કરવાને બદલે જમીન કે પ્રોપર્ટીમાં રોકાણને પ્રાથમિકતા આપે છે. નોકરીને કાયમી સુરક્ષા ન ગણી, બચત, રોકાણ અને વધારાની આવકના સ્ત્રોત પર ભાર મૂકે છે. ડિગ્રી કરતાં પ્રતિષ્ઠા અને ઈમાનદારીને વધુ મહત્વ આપે છે. બાળકોને નાનપણથી જ મની મેનેજમેન્ટ શીખવી, આમદની કરતાં ઓછો ખર્ચ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગુજરાતીઓનું સફળ ધન રહસ્ય!
8 છગ્ગા, 95 રન... સાંસદના દીકરાએ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી
DPL 2026 માં, નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે ઈસ્ટ દિલ્હી રાઈડર્સને 6 વિકેટે હરાવ્યા. કેપ્ટન સાર્થક રંજન, જે સાંસદ પપ્પુ યાદવ અને રાજ્યસભા સાંસદ રંજીત રંજનનો પુત્ર છે, તેણે 50 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 95 રન બનાવ્યા. 172 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, 39 રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી, સાર્થક અને યશ ભાટિયાએ 113 રનની ભાગીદારી કરી. સાર્થકે એક ઓવરમાં 29 રન ફટકારી મેચ ફેરવી દીધી, જ્યારે યશે અણનમ 53 રન બનાવ્યા. સાર્થકે પોતાની ફિફ્ટી નોવાક જોકોવિચની સ્ટાઈલમાં ઉજવી.
8 છગ્ગા, 95 રન... સાંસદના દીકરાએ ક્રિકેટના મેદાનમાં ધૂમ મચાવી
અમરેલીના ખોડિયાર ડેમ પર 9 સિંહોની શાહી લટાર
અમરેલીના ધારી નજીક આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર ડેમ પાસે એકસાથે 9 સિંહોની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિકોમાં આ 'રોયલ' અંદાજ જોઈને ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ધારીના ખોડિયાર ડેમ પરિસરમાં અચાનક 9 જેટલાં સિંહો આવી પહોંચ્યા હતા. ચોમાસાના સુંદર વાતાવરણ વચ્ચે ડેમના રમણીય સ્થળ પર સાવજોની આ લટારનો સમગ્ર નજારો કેમેરામાં કેદ થયો હતો. લોકો સિંહોના આ શાહી ચાલ અને રોયલ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
અમરેલીના ખોડિયાર ડેમ પર 9 સિંહોની શાહી લટાર
છોટા ઉદેપુરના બોડેલીના રેતી વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો પ્રચંડ વિરોધ
છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામમાં રેતીના વોશિંગ પ્લાન્ટના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પ્લાન્ટના કચરાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, જે પાકને નુકસાન પહોંચાડે છે અને જમીનનું ધોવાણ કરે છે. મધ્ય પ્રદેશથી સ્થળાંતર કરાયેલા પરિવારોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેરકાયદે રેતી ખનન અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્લાન્ટ સામે કડક કાર્યવાહીની માંગ છે.
છોટા ઉદેપુરના બોડેલીના રેતી વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો પ્રચંડ વિરોધ
પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ રોકવા વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત
ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં નાણાકીય પારદર્શકતા અને જવાબદારી વધારવા માટે પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. હવે રાજ્યની તમામ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતોનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થયા બાદ તરત જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવશે. આ નવી વ્યવસ્થા હેઠળ, ઑડિટ દરમિયાન સામે આવેલી ગંભીર બાબતો અંગે DDO સમક્ષ સીધી ચર્ચા કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાશે. આનાથી ભંડોળનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે.
પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ રોકવા વાર્ષિક ઑડિટ બાદ ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ ફરજિયાત
ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ, બે દિવસ ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. પશ્ચિમી વિક્ષોભ અને ચોમાસી સિસ્ટમ સક્રિય થતાં 8મી અને 9મી ઓગસ્ટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 8મી ઓગસ્ટે કેટલાક ભાગો માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 9મી ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ, બે દિવસ ભારે વરસાદની આગાહી
ખેરની ચોરીની અદાવતમાં ફોરેસ્ટ અધિકારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ રેન્જ નજીક, ગેરકાયદે ખેરના વૃક્ષો કાપવાના મામલે નોંધાયેલી ફરિયાદની અદાવતમાં એક કારચાલકે મહિલા રાઉન્ડ ફોરેસ્ટર અને અન્ય કર્મચારીઓ પર કાર ચઢાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. મહિલા અધિકારીઓએ સમયસૂચકતા વાપરીને પોતાની જાતને બચાવી લીધી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વનકર્મીઓએ ઉતાર્યો છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કર્યા છે.
ખેરની ચોરીની અદાવતમાં ફોરેસ્ટ અધિકારીઓ પર કાર ચઢાવવાનો પ્રયાસ
ગાંધીનગરના ચિલોડામાં 4 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું
ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક 4 વર્ષની બાળકી પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. પોલીસ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, પતિ-પત્નીના ઝઘડા બાદ માતા બાળકો સાથે પિયર રહેતી હતી, અને પિતા બાળકીને ગઈકાલે લઈ આવ્યા હતા. સવારે બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ગાંધીનગરના ચિલોડામાં 4 વર્ષની બાળકી પર પિતાએ દુષ્કર્મ આચર્યું
મોરબીના વીરપરડા ગામમાં કુદરતી અજાયબી!
મોરબી નજીક વીરપરડા ગામમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં એક વાડીના 18 ફૂટ ઊંડા કૂવામાં પાણી દરિયાના મોજાંની જેમ ઉછળી રહ્યું છે. આસપાસના કૂવાઓ શાંત હોવા છતાં, આ ચોક્કસ કૂવામાં પાણીની અસાધારણ હલચલ સ્થાનિકોમાં આશ્ચર્ય જગાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોને કારણે લોકો આ અદભૂત દ્રશ્ય જોવા ઉમટી રહ્યા છે. કેટલાક લોકો તેને ચમત્કાર માની રહ્યા છે, જ્યારે વૈજ્ઞાનિકો ભૂગર્ભજળના ભારે દબાણ, ફોલ્ટ લાઇનના કંપનો અથવા ભૂગર્ભ ગેસના દબાણને કારણ માની રહ્યા છે. આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના વીરપરડા ગામમાં કુદરતી અજાયબી!
લાઈવ ફૂટબોલ મેચમાં વીજળી પડતાં 24 વર્ષીય ખેલાડીનું મોત
દક્ષિણ થાઇલેન્ડમાં ગોલોક FA કપ દરમિયાન એક દુઃખદ ઘટના બની, જ્યાં 24 વર્ષીય થાઇ Footballer સોફવાન અવાએનું વીજળી પડતાં મોત થયું. વરસાદી વાતાવરણમાં રમાઈ રહેલી આ મેચમાં અવાએની ટીમ SAMCOLTS અને 'અબુ x નોંગ સિરિન' વચ્ચે રમાઈ રહી હતી. આ ઘટનામાં અન્ય 12 ખેલાડીઓ પણ ઘાયલ થયા. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં વીજળી પડતી સ્પષ્ટ દેખાય છે, જેના પગલે ચાહકો આયોજકો પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
લાઈવ ફૂટબોલ મેચમાં વીજળી પડતાં 24 વર્ષીય ખેલાડીનું મોત
વડોદરા ફૂડ શાખાની મોટી કાર્યવાહી: એનાલોગ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ આકસ્મિક દરોડા
ગુજરાત સરકાર દ્વારા વનસ્પતિ તેલ આધારિત એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાએ સક્રિયતા દાખવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં હલકી ગુણવત્તાના કૃત્રિમ ડેરી ઉત્પાદનો મળવાને કારણે આ નિર્ણય લેવાયો છે. હવે હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં વેજિટેબલ ફેટમાંથી બનેલા એનાલોગ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોય તો તેની સ્પષ્ટ જાણકારી આપવી ફરજિયાત રહેશે. પ્રતિબંધિત ઉત્પાદનોનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
વડોદરા ફૂડ શાખાની મોટી કાર્યવાહી: એનાલોગ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ આકસ્મિક દરોડા
વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકવા પર રોક!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિશ્વામિત્રી નદીના કોતરમાં કચરો ઠાલવવાની સમસ્યા રોકવા મંગલ પાંડે બ્રિજથી અગોરા મોલ સુધી રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરશે. લાંબા સમયથી ઉત્તર ઝોનના વોર્ડ નં. 2 અને 3 વચ્ચે કચરો ફેંકવાની ફરિયાદો હતી. આ કામગીરી હેઠળ નદીની બંને તરફ 1,370 મીટરની લંબાઈમાં એમ.એસ. ગ્રીલ ફેન્સિંગ થશે. સફાઈ માટે મશીનરીની પહોંચ માટે ચાર ગેટ પણ બનશે. મે. એમ.આર.એન્ટરપ્રાઇઝે 9% ઓછા ભાવે રૂ.73,22,290માં કામગીરીની સંમતિ આપી છે.
વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકવા પર રોક!
વડોદરાની જર્જરિત શાળાના વિદ્યાર્થીઓ નવી ઇમારત બને ત્યાં સુધી દુકાનોમાં કરશે અભ્યાસ
વડોદરા શહેરની રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારત તોડી નવી ઇમારત બનાવવાની કામગીરી શરૂ થઇ છે. નવી શાળા તૈયાર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે શાળાને હંગામી ધોરણે નજીકની નીલકંઠ રેસિડેન્સી ખાતે હાઉસિંગ એફોર્ડેબલ યોજના હેઠળની ખાલી દુકાનોમાં ખસેડવામાં આવશે. કુલ 14માંથી 9 દુકાનો એક વર્ષ માટે વિનામૂલ્યે ફાળવવાની દરખાસ્ત છે, જેના પર સ્થાયી સમિતિ અંતિમ નિર્ણય લેશે.