જયપુરમાં NEET-PG પરીક્ષામાં વીજળી ગુલ
જયપુરમાં NEET-PG પરીક્ષામાં વીજળી ગુલ
Published on: 31st August, 2026

રાજસ્થાનના જયપુરમાં NEET-PG ૨૦૨૬ ની પરીક્ષા દરમિયાન બે કેન્દ્રો પર વીજળી પુરવઠો ખોરવાઈ જતાં પરીક્ષા અધૂરી રહી હતી. નેશનલ બોર્ડ ઓફ એગ્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBE) દ્વારા અસરગ્રસ્ત ૨૪૪૫ ઉમેદવારો માટે ૫ સપ્ટેમ્બરે બપોરે ૨ વાગ્યે ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. આ ઘટના માટે ટેકનોલોજી પાર્ટનર અને TCS લિમિટેડની જવાબદારી નક્કી કરવા બેઠક બોલાવાઈ છે. જયપુરના સીતાપુરામાં બે ION Digital Zone સેન્ટરો પર આ સમસ્યા સર્જાઈ હતી.