સુરેન્દ્રનગરના રતનપર સસ્તા અનાજની દુકાનમાં અનિયમિતતા
સુરેન્દ્રનગરના રતનપર સસ્તા અનાજની દુકાનમાં અનિયમિતતા
Published on: 28th August, 2026

સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન પર ગ્રાહકો પરેશાન છે. તહેવારો નજીક હોવા છતાં, દુકાનદાર ભીખાભાઈ મહિનાના અંતિમ દિવસોમાં જ દુકાન ખોલે છે, જેના કારણે 1200થી વધુ પરિવારોને હાલાકી ભોગવવી પડે છે. કોર્પોરેટર પ્રદીપભાઈ વસ્તાણીની આગેવાની હેઠળ રહીશોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી છે. ગ્રાહકોનો આરોપ છે કે દુકાનદાર સમયસર દુકાન ખોલતો નથી અને અનાજમાં વજન ઓછુ આપે છે.