સુરેન્દ્રનગરના જોરાવરનગરની સગીરાના દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.
સુરેન્દ્રનગરના જોરાવરનગરની સગીરાના દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી.
Published on: 26th March, 2026

જોરાવરનગરની ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને સુરેન્દ્રનગરના હર્ષીલ ધોળકીયાએ ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું. સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલતા, સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. ભોગ બનનારને વળતર યોજના હેઠળ રૂ. 68 હજાર ચૂકવવાનો હુકમ કરાયો છે.