સુરેન્દ્રનગરના માળોદમાં ખેતરના શેઢે માટીકામ કરતી મહિલા પર પડોશી દ્વારા સોરીયા વડે હુમલો
સુરેન્દ્રનગરના માળોદમાં ખેતરના શેઢે માટીકામ કરતી મહિલા પર પડોશી દ્વારા સોરીયા વડે હુમલો
Published on: 15th August, 2026

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના માળોદ ગામમાં ખેતરના શેઢા પર માટીકામ કરી રહેલી 56 વર્ષીય કંચનબેન પટેલ પર તેમના પડોશી જીતેન્દ્ર રામજીભાઈ પટેલે સોરીયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. દોઢ વર્ષ પહેલાં થયેલી ખેતરની માપણી બાબતે બંને પક્ષો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. હુમલાખોરે કંચનબેન અને તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ એચસી એસ.એમ.સુમેરા કરી રહ્યા છે.