રેલવેની ચાદર-ધાબળાની ચોરી: કાનૂની સજા અને દંડ વિશે જાણો, જેલ ભેગા થશો!
રેલવેની ચાદર-ધાબળાની ચોરી: કાનૂની સજા અને દંડ વિશે જાણો, જેલ ભેગા થશો!
Published on: 14th July, 2026

ભારતીય રેલવે લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, જે યાત્રીઓને સુવિધાયુક્ત સફર પૂરી પાડે છે. AC કોચમાં મળતા બેડરોલ (ચાદર, ધાબળા, ઓશિકા) યાત્રીઓની સુવિધા માટે હોય છે. મુસાફરી બાદ આ સામાન રેલવે સ્ટાફને સોંપવો અથવા સુરક્ષિત રાખવો ફરજિયાત છે. જો આ બેડરોલ ચોરી થાય તો તેના પૈસા રેલવે સ્ટાફના પગારમાંથી કપાય છે. રેલવે પ્રોપર્ટી એક્ટ 1966 મુજબ, પ્રથમ વખત ચોરી કરતાં પકડાય તો 1 વર્ષની સજા અથવા 1000 રુપિયા દંડ, અને ગંભીર કિસ્સામાં 5 વર્ષની જેલ અને દંડ બંને થઈ શકે છે.