ભાવનગર મહુવાના નિવૃત્ત મામલતદાર JC મહેતા સામે ACBનો કેસ.
ભાવનગર મહુવાના નિવૃત્ત મામલતદાર JC મહેતા સામે ACBનો કેસ.
Published on: 31st March, 2026

ગુજરાત ACB દ્વારા મહુવાના તત્કાલીન મામલતદાર JC મહેતા વિરુદ્ધ લાંચ માંગવા બદલ કાર્યવાહી થઈ. ફરિયાદી, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકને હેરાન ન કરવા JC મહેતાએ ₹50,000ની માંગણી કરી હતી. જેમાં થી ₹10,000 સ્વીકાર્યા હતા. બાકીની રકમ સ્વીકારતા ACBએ ગુનો દાખલ કર્યો અને તપાસ હાથ ધરી છે. ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો.