અરવલ્લી જિલ્લા પોલીસની કાર્યવાહી: જાહેરનામા ભંગ બદલ બે હોટેલ સંચાલકો સામે ફરિયાદ દાખલ.
અરવલ્લી જિલ્લા પોલીસની કાર્યવાહી: જાહેરનામા ભંગ બદલ બે હોટેલ સંચાલકો સામે ફરિયાદ દાખલ.
Published on: 05th August, 2026

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેરનામાના અમલીકરણ હેઠળ પોલીસે કાર્યવાહી કરી છે. શામળાજી પોલીસ મથક વિસ્તારમાં તપાસ દરમિયાન, નવા વેણપુર ગામની હસન મુરાબાદી હોટેલના સંચાલક જાવેદ અહેશાનખાન અને રૂદરડી ગામની શ્રી ક્રિષ્ણા કાઠીયાવાડી પંજાબી હોટેલના સંચાલક કિશોર દેવીલાલ દરજી સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રથમ સંચાલક પર સીસીટીવી કેમેરા ન લગાવવાનો અને બીજા પર કામદારોનું રજીસ્ટર ન રાખવાનો જાહેરનામા ભંગનો આરોપ છે.