જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પત્ની પર કુહાડીથી કર્યો હુમલો.
જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પત્ની પર કુહાડીથી કર્યો હુમલો.
Published on: 19th June, 2026

અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં જ્યોતિસંઘ સંસ્થામાં બાળકોની કસ્ટડીના કાઉન્સેલિંગ દરમિયાન એક મહિલા પર તેના પતિએ કુહાડીથી હુમલો કર્યો. બાળકોના કસ્ટડીના વિવાદમાં ઉશ્કેરાયેલા પતિ વિજય રાવળે પત્ની દક્ષાબહેનના પગ પર કુહાડી મારી. ઈજાગ્રસ્ત દક્ષાબહેનને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પારિવારિક વિખવાદ અને પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળીને દક્ષાબહેન છેલ્લા ત્રણ મહિનાથી અલગ રહેતા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.