વિંછીયાના ખેડૂતને ત્રણ લાખ વ્યાજે આપી વ્યાજખોરે 7.10 લાખ પડાવ્યા
વિંછીયાના ખેડૂતને ત્રણ લાખ વ્યાજે આપી વ્યાજખોરે 7.10 લાખ પડાવ્યા
Published on: 19th August, 2026

વિંછીયાના સોમલપર ગામના ખેડૂત યુવાનને ઇલેક્ટ્રિક બાઇક શો રૂમ માટે ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ વ્યાજખોરે 7.10 લાખ રૂપિયા પડાવી લીધા. વ્યાજખોરે પ્રોમિસરી નોટ અને નવ કોરા ચેક પણ લીધા હતા. તેમ છતાં, તેણે ઘરે જઈ વધુ બે લાખ રૂપિયાની ઉઘરાણી કરી અને ખૂનની ધમકી આપી. આ મામલે ખેડૂતની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.