ભાવનગર શહેરના કુંભારવાડામાં રોડ નિર્માણમાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
ભાવનગર શહેરના કુંભારવાડામાં રોડ નિર્માણમાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
Published on: 03rd September, 2026

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મીલની ચાલી પાસે રોડ નિર્માણના કામમાં અડચણરૂપ બનેલા ૫૧ ગેરકાયદે દબાણો મહાપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જેમાં ૪ ધાર્મિક સ્થળો, ૨ શેડ, ૨૨ ઓટલા, ૧૬ ચોકડી, ૬ પાણીની ટાંકી અને ૧ બાથરૂમનો સમાવેશ થાય છે. અગાઉ નોટિસ આપવા છતાં દબાણો દૂર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે દબાણકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.