ગણેશોત્સવમાં જ્ઞાનદાન: સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો લાઇબ્રેરીઓમાં અપાશે
ગણેશોત્સવમાં જ્ઞાનદાન: સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો લાઇબ્રેરીઓમાં અપાશે
Published on: 17th September, 2026

વ્યારાના કાનપુરા સ્થિત સાંઈનાથ ગણેશ મંડળ 21 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે, અને છેલ્લા 10 વર્ષથી સેવાભાવ સાથે ગણેશોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે મંડળ આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનદાનનો સંકલ્પ લઈને ગામડાંની લાઇબ્રેરીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો આપશે. સરકારી નોકરી સહિતની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુ છે. આરોગ્ય, રક્તદાન, દર્દી સેવા, અને ગૌમાતા સેવા જેવા અનેક સામાજિક કાર્યો પણ આયોજનમાં છે.