વ્યાજખોરે વેપારી પાસેથી 2.12 લાખ સામે 5.13 લાખ વસૂલ્યા, વધુ 3.16 લાખની ઉઘરાણી કરી
વ્યાજખોરે વેપારી પાસેથી 2.12 લાખ સામે 5.13 લાખ વસૂલ્યા, વધુ 3.16 લાખની ઉઘરાણી કરી
Published on: 16th September, 2026

વડોદરાના અટલાદરા વિસ્તારમાં 26 વર્ષીય વેપારીએ 20 ટકા વ્યાજે લીધેલા 2.12 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરે વધુ 3.16 લાખ રૂપિયાની ઉઘરાણી કરી. વેપારીએ કુલ 5.13 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરે સિક્યુરિટી ચેક પરત ન આપી ચેક બાઉન્સનો કેસ કર્યો. આ બનાવ અંગે ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેપારીએ ધંધા માટે પૈસા લીધા હતા અને વ્યાજખોરે માર મારવાની ધમકી પણ આપી હતી.