જામનગર શ્રાવણી મેળામાં ટેન્ડર કોસ્ટ વધતાં વેપારીઓમાં નિરસતા
જામનગર શ્રાવણી મેળામાં ટેન્ડર કોસ્ટ વધતાં વેપારીઓમાં નિરસતા
Published on: 14th August, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાના પ્લોટની અપસેટ કિંમતમાં 25%નો વધારો થતાં ધંધાર્થીઓમાં નિરસતા જોવા મળી રહી છે. કુલ 43 પ્લોટમાંથી 35 પ્લોટ માટે ઓફલાઈન અને બાકીના માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. જોકે, અનેક પ્લોટ માટે અપૂરતા ટેન્ડર મળતાં તંત્રને ફેરવિચારણા કરવી પડી રહી છે. ખાસ કરીને ખાણી-પીણી, આઈસ્ક્રીમ અને મશીન મનોરંજનના પ્લોટ માટે ઓછો પ્રતિસાદ મળ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ફેરફારને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.