15 સપ્ટેમ્બર પછી UPI QR કોડ પેમેન્ટ બંધ?
15 સપ્ટેમ્બર પછી UPI QR કોડ પેમેન્ટ બંધ?
Published on: 08th September, 2026

ભારતમાં ડિજિટલ પેમેન્ટ અત્યંત પ્રચલિત બન્યું છે, પરંતુ 15 સપ્ટેમ્બરની એક ડેડલાઇને લાખો નાના વેપારીઓ અને ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. RBIના નિયમો હેઠળ મર્ચન્ટ્સ માટે રી-કેવાયસી (Re-KYC) પ્રક્રિયા પૂરી કરવી ફરજિયાત છે. જો આ વેરિફિકેશન સમયસર પૂર્ણ નહીં થાય, તો નાના વેપારીઓના QR કોડ આધારિત ચુકવણીઓ પ્રભાવિત થઈ શકે છે. આનાથી ગ્રાહકોને UPI દ્વારા ચુકવણીમાં મુશ્કેલી પડી શકે છે અને તેમને રોકડ વ્યવહાર કરવો પડી શકે છે. આશરે 10 લાખ નાના વેપારીઓને આ અસર થવાની શક્યતા છે.