સોના-ચાંદીના ભાવમાં ઘટાડો!
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો!
Published on: 04th June, 2026

ભારતીય સર્રાફા બજારમાં સોનાના ભાવમાં હળવો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ભૌગોલિક-રાજકીય (Geo-political) પરિસ્થિતિ વણસી છે, જેના પરિણામે ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી વૈશ્વિક મોંઘવારી વધવાનો ડર છે. ફેડરલ રિઝર્વ વ્યાજદરો ઊંચા રાખી શકે છે, જે રોકાણકારોને સોના કરતાં બેંક બોન્ડ્સમાં રોકાણ કરવા પ્રેરે છે. આ કારણે સોનાની માંગ ઘટી છે. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. આજે બજારમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ અંદાજે 1,56,360 રૂપિયાથી 1,59,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે.