સોનુ નિગમને ગંભીર બીમારી, અસહ્ય દુ:ખાવા છતાં શૉ કેન્સલ નહીં કરવાનો નિર્ણય
સોનુ નિગમને ગંભીર બીમારી, અસહ્ય દુ:ખાવા છતાં શૉ કેન્સલ નહીં કરવાનો નિર્ણય
Published on: 17th June, 2026

બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમે એક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો છે કે તેઓ 'પિન્ચ્ડ નર્વ' (દબાયેલી નસ) ની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ મેડિકલ ટેસ્ટ અને સારવાર દરમિયાન તેમને અસહ્ય દુ:ખાવો થઈ રહ્યો છે, જેના માટે તેઓ પેઈન કિલર્સ લઈ રહ્યા છે. ફિઝિયોથેરાપી સેશન્સ પણ ખૂબ પીડાદાયક રહ્યા છે. આ ગંભીર બીમારી અને દવાઓની અસર છતાં, સોનુ નિગમે મુંબઈમાં યોજાનારો તેમનો લાઇવ પરફોર્મન્સ કેન્સલ કરવાનો ઈરાદો નથી. તેઓ ગમે તે સંજોગોમાં સ્ટેજ પર પર્ફોર્મ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેનાથી ચાહકો તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.