રણબીરની 'રામાયણ' પર અભિનેત્રીનો પ્રહાર: "બીફ ખાનાર ભગવાન રામ?"
રણબીરની 'રામાયણ' પર અભિનેત્રીનો પ્રહાર: "બીફ ખાનાર ભગવાન રામ?"
Published on: 06th August, 2026

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ "રામાયણ"માં ભગવાન રામના પાત્રને લઇ ચર્ચામાં છે. જોકે, અભિનેત્રી નિકિતા રાવલે રણબીરના ગૌમાંસ ખાવાના જૂના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. તેણીએ કહ્યું કે બીફ ખાનારો ભગવાન શ્રી રામનું પાત્ર કેવી રીતે ભજવી શકે તે લાખો લોકોની લાગણીઓનું અપમાન છે. નિકિતાએ રણબીરને માફી માંગવા કહ્યું છે અને #BoycottRanbir હેશટેગનો ઉપયોગ કરીને બહિષ્કાર ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.