મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
મિત્રોને બદનામ કરવાનું બંધ કરો, સૂરજ નામ્બિયાર રોષે ભરાયો.
Published on: 18th May, 2026

અભિનેત્રી મોની રોય અને તેમના પતિ સૂરજ નામ્બિયાર વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે સૂરજે સત્તાવાર નિવેદન આપી તમામ અફવાઓ ફગાવી દીધી છે. તેમણે ભરણપોષણ, ઝઘડા અથવા ત્રીજી વ્યક્તિની સંડોવણીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સૂરજે જણાવ્યું કે બંનેએ પરસ્પર સન્માન અને સમજદારીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમણે મીડિયા અને લોકોને તેમની પ્રાઇવસીનું સન્માન કરવા તેમજ નિર્દોષ મિત્રોને આ વિવાદમાં ન ખેંચવા અપીલ કરી હતી. મૌની અને સૂરજના લગ્ન વર્ષ 2022માં ગોવામાં ધામધૂમથી થયા હતા.